ભાવનગર: ફાસ્ટફૂડની લારીના સંચાલકે કારીગરની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

New Update
ભાવનગર: ફાસ્ટફૂડની લારીના સંચાલકે કારીગરની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અભી ફાસ્ટફૂડની લારીના સંચાલકે પોતાના જ કારીગરોને તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસ દરમિયાન અગાઉના ઝઘડાની રીસ રાખી હત્યા કરાય હોવાનું બહાર આવ્યું છે.

ભાવનગર શહેરના ડી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલ્વે ફાટક નજીક પાસે એક યુવાનની બે શખ્સોએ બોલાચાલી કરી આડેધડ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ હત્યારાઓની ડી ડીવીઝન પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી છે. શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મફતનગરમા રહેતાં રમેશ સોલંકીના યુવાન પુત્ર પરેશ જે થોડા સમય પૂર્વ કુંભારવાડા વિસ્તારમાં આવેલ મયુર સોલંકી નામના શખ્સની અભી ફાસ્ટફૂડની લારી પર કામ કરતો હતો જેમાં પરેશને મયુર સાથે કોઈ બાબતે ઝઘડો થતાં તેણે કામ છોડી દીધું હતું.

ત્યારબાદ મયુર પરેશને ઈન્સટાગ્રામ પર અભદ્ર મેસેજ કરી ઉશ્કેરતો હોય અને ગત શનિવારે મોડી રાતે પરેશને મયુરે જમપુરી નાળા પાસે બોલાવ્યો હતો જયાં મયુર તથા તેનો મિત્ર સલીમ રે હાજર હોય પ્રથમ પરેશ સાથે બોલાચાલી કરી હતી અને પછી મયુરે પરેશને પકડી રાખતાં સલીમે ધારદાર છરીના ઉપરાછાપરી ઘા મારી નાસી છુટ્યા હતાં ત્યાં ત્રીજો ઈરફાન મકવાણાએ પણ હત્યામાં મદદ કરી હતી. બીજી તરફ ગંભીર ઈજા સાથે ઢળી પડેલ પરેશને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.પોલીસે આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories