ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટ્યો

ભારત-પાકિસ્તાન વિવાદની વચ્ચે હવે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભૂ-રાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી રહી છે.

New Update
Indian stock market

ભારત-પાકિસ્તાન વિવાદની વચ્ચે હવે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભૂ-રાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી રહી છે.

Advertisment

છેલ્લા બે દિવસના વધારા પછી બુધવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું. સવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટ્યો. એટલે કે તેમાં 0.21 ટકાનો ઘટાડો થયો છે અને તે 80,105.58 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એ જ રીતે નિફ્ટી 55.30 પોઈન્ટ એટલે કે 0.23 ટકાના ઘટાડા સાથે 24,274,65 પર ટ્રેડ કરી રહ્યો છે.

૩૦ શેરો વાળા BSE સેન્સેક્સ 70.01 પોઈન્ટ અથવા0.09 ટકાના વધારા સાથે 80,288,38 પર બંધ થયા. જ્યારે એક સમયે ટ્રેડિંગ દરમિયાન તે 442.94 પોઈન્ટ વધીને 80,661.31 પર પહોંચ્યો હતો, પરંતુ વેચાણના દબાણને કારણે તે નીચે આવ્યો હતો. એ જ રીતે, નિફ્ટી પણ 7.45 પોઈન્ટ એટલે કે 0.03 ટકાના નજીવા વધારા સાથે 24,335.95 પોઈન્ટ પર બંધ થયો. શેરબજારમાં તેજીનો આ સતત બીજો દિવસ હતો. સોમવારે શરૂઆતમાં સેન્સેક્સ 1,005.84 પોઈન્ટ વધીને 80,218.37 પર બંધ થયો હતો અને નિફ્ટી 289.15 પોઈન્ટ વધીને 24,328.50 પર બંધ થયો હતો.

Advertisment
Latest Stories