સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજાર પર અફવાઓની અસરને પહોંચી વળવા માટે નવી માર્ગદર્શિકા કરી જારી

New Update
સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજાર પર અફવાઓની અસરને પહોંચી વળવા માટે નવી માર્ગદર્શિકા કરી જારી

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજાર પર અફવાઓની અસરને પહોંચી વળવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંગે એક પરિપત્ર જારી કરતી વખતે સેબીએ કહ્યું કે આ નિયમ 1 જૂન 2024થી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ટોચની 100 કંપનીઓ પર અને ડિસેમ્બર 2024થી 150 અન્ય કંપનીઓ પર લાગુ થશે.

સિક્યોરિટી બોર્ડ ઓફ ઈન્ડિયાએ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ તમામ સંસ્થાઓ, તમામ માન્ય સ્ટોક એક્સચેન્જો, દેશના ત્રણ અગ્રણી બિઝનેસ ચેમ્બર, એસોચેમ, FICCI અને CII (ભારતીય ઉદ્યોગ સંઘ)ને આ પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં, બજાર સંબંધિત અફવાઓની ચકાસણી અંગે ભારતીય ધોરણો જારી કરતી વખતે, SEBIએ જણાવ્યું હતું કે, વ્યવસાય કરવાની સરળતા માટે, ઉદ્યોગ માનક ફોરમ (ISF), જેમાં ત્રણેય બિઝનેસ ચેમ્બરનો પણ સમાવેશ થાય છે, તે સેબી સાથે પાઇલટ પર કામ કરશે. શેરબજાર સંબંધિત અફવાઓને ચકાસવા માટે સ્ટોક એક્સચેન્જો હેઠળના ધોરણો તૈયાર કરવામાં આવ્યા છે. સેબીના લિસ્ટિંગની જવાબદારી અને જાહેરાતના ધોરણો હેઠળ, આ અફવાઓને ચકાસવી પડશે, સ્ટોક એક્સચેન્જ સહિત આ ત્રણ બિઝનેસ ચેમ્બરોએ તેમની વેબસાઇટ્સ પર ધોરણોની નોંધ પ્રકાશિત કરવી પડશે.

સેબીએ જણાવ્યું હતું કે તમામ લિસ્ટેડ એન્ટિટીઓએ નિયમનનું પાલન કરવા માટે ઉદ્યોગના ધોરણોનું પાલન કરવું પડશે. સેબીએ કહ્યું કે આ નિયમન કુલ 250 કંપનીઓ પર લાગુ થશે, જેમાં અફવાઓની ચકાસણી માટેની માર્ગદર્શિકા 1 જૂન, 2024થી ટોચની 100 લિસ્ટેડ કંપનીઓ પર અને 1 ડિસેમ્બર, 2024થી આગામી 150 કંપનીઓ પર લાગુ થશે. સ્ટોક એક્સચેન્જોને આ પરિપત્ર સાથે સંબંધિત સામગ્રી તમામ લિસ્ટેડ કંપનીઓના ધ્યાન પર લાવવા માટે કહેવામાં આવ્યું છે.

Latest Stories