છોટા ઉદેપુર : કમોસમી વરસાદ બાદ હવે જીવાતોથી ખેડૂતોને રડવાનો વારો

New Update
છોટા ઉદેપુર : કમોસમી વરસાદ બાદ હવે જીવાતોથી ખેડૂતોને રડવાનો વારો

છોટાઉદેપુર

જીલ્લામાં  કમોસમી

વરસાદ બાદ પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં રવિ પાક પણ નષ્ટ થતાં ખેડૂતો માટે  પડ્યા પર પાટુનો ઘાટ ઘડાયો છે.

ગુજરાતીમાં

કહેવત છે કે જે પોષતું તે મારતું .. આ કહેવત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સાચી

સાબિત થઇ રહી હોય તેમ લાગી રહયું છે. વરસાદના પાણીથી સિંચાઇ કરતા ખેડૂતો માટે

વરસાદના પાણી જ આફત બની ગયાં છે. ચોમાસા પહેલાં વરસાદની વાટ જોઇને બેઠેલા

ધરતીપુત્રો પર વર્ષા રાણી જરૂરત કરતાં વધારે જ મહેરબાન થયા. ચાલુ વર્ષે ચોમાસા

દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ  છોટાઉદેપુર જીલ્લામાં થયો હતો. આ મેઘરાજાની મહેર ધરતીપુત્રો માટે કહેર

સાબિત થઇ છે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ખેડૂતોએ કરેલા દિવેલા

(એરંડા)નાં પાકમાં કમોસમી વરસાદને લીધે ઇયળો પડી જતા દિવેલાનો પાક સદંતર નિષ્ફળ થઈ

ગયો છે.

દુરથી

હરિયાળા દેખાતા ખેતરોમાં નજીક જઈને જોતા દિવેલાના મોટાભાગના પાનમાં ઈયળોને લઇ સડો

લાગી ગયો છે. પાકને બચાવવા ખેડૂતોએ  દેવું કરીને પણ જરૂરી એવી તમામ તકેદારી

રાખી સમય સમયે ખાતર ..બિયારણ અને દવાનો છંટકાવ કર્યો હતો તેમ છતાં તેમની આ મહેનત

અને નાણા બંને એળે ગયા છે.  જીવાતનો ઉપદ્રવ

વધી જતાં શિયાળુ પાક પણ નિષ્ફળ જતા ખેડૂતોના માથે જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિનું

નિર્માણ થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં રવિ પાકમાં દિવેલાનું 722 હેકટરમાં વાવેતર કરાયું છે. ત્યારે

ઈયળોના ઉપદ્રવથી દિવેલાની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી
Latest Stories