Connect Gujarat
Featured

Covid-19 : રાજ્યમાં આજે 7,135 નવા કેસ નોધાયા, 12342 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

Covid-19 : રાજ્યમાં આજે 7,135  નવા કેસ નોધાયા, 12342 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં આજે 7,135 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 81 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9202 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 12342 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 6,50,932 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 99620 પર પહોંચ્યો છે. જેમાંથી 762 દર્દી વેન્ટિલેટર પર અને 98858 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.68 ટકા છે.

Next Story