દાહોદ : કોરોનાનું સંક્રમણ રોકવા નવતર પ્રયોગ, દર રવિવારે દુકાનો બંધ રાખી બજાર કરાશે સેનીટાઇઝ

New Update
દાહોદ : કોરોનાનું સંક્રમણ રોકવા નવતર પ્રયોગ, દર રવિવારે દુકાનો બંધ રાખી બજાર કરાશે સેનીટાઇઝ

દાહોદ જિલ્લામાં વધતાં જતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે દાહોદ કલેક્ટરે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમણે દરમિયાન દર રવિવારે આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા આદેશ કર્યો છે. દુકાનો બંધ રહે તે દરમિયાન બજારોને સેનીટાઇઝ કરવામાં આવશે

દીવાળીના તહેવારો બાદ દાહોદ જિલ્લામાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે અને સતત વધતાં જતાં કેસોથી સમગ્ર વહીવટી તંત્રની ચિંતા વ્યાપી છે. છેલ્લા પાંચ દિવસમાં જિલ્લામાં નવા 93 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 2176 ઉપર પહોચી છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા તંત્ર દ્રારા માસ્ક વગર ફરતા લોકોને દંડ તેમજ સ્થળ ઉપર કોરોના ટેસ્ટની સાથે તમામ દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરી સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા વેપારીઓની દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દર રવિવારે સંમગ્ર જિલ્લાના વાણિજયિક વ્યવસાયો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બંધમાં માત્ર દુધની ડેરી અને મેડિકલ સ્ટોરને છૂટછાટ આપવામાં આવી છે. દર રવિવારે જિલ્લાના તમામ બજારો બંધ રાખી દરેક વિસ્તારમાં અસરકારક રીતે સેનેટાઇઝરની કામગીરી કરવામાં આવી રહી છે અને કોરોનાની ચેઇન તૂટી શકે એ માટે જિલ્લા કલેક્ટર દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના અને શહેરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સયંભૂ બંધ રાખી જિલ્લા વહીવટી તંત્રને સાથ અને સહકાર આપ્યો હતો.

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.