ડાંગ : શિક્ષકોના પ્રોત્‍સાહન માટે આહવા ખાતે તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્‍ટીવલ યોજાયો

New Update
ડાંગ : શિક્ષકોના પ્રોત્‍સાહન માટે આહવા ખાતે તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્‍ટીવલ યોજાયો

કોવિડ-19 મહામારીમાં પણ મોટા ભાગના શિક્ષકોએ શાળા અને ગ્રામ્‍ય કક્ષાએ નવતર પ્રયોગ હાથ ધર્યા છે. શિક્ષકોના આ નવતર પ્રયોગોને મંચ આપવા માટે, અને તાલુકાના શિક્ષકોને પ્રોત્‍સાહન મળી રહે તે માટે તાજેતરમાં જીસીઇઆરટી ગાંધીનગર, અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇના સંયુકત ઉપક્રમે તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્‍ટીવલ બીઆરસી ભવન આહવા ખાતે યોજવામાં આવ્યો હતો.

નવતર પ્રવૃતિ એટલે એક એવી પ્રક્રિયા કે, જે બાળકોના અભ્‍યાસને પ્રભાવિત કરે, જે સ્‍વધ્‍યયન-અધ્‍યાપન પ્રક્રિયામાં પરિવર્તન લાવે જે બાળકોની વાંચન, લેખન, ગણન પ્રક્રિયા કે, સરળ અને રસપ્રદ બનાવે તેમજ બાળકોની નામાંકન અને સ્‍થાયીકરણમાં નોંધપાત્ર વધારો થાય, જેનાથી વિધાર્થી અને શાળાના સર્વાંગી વિકાસમાં ભાગીદારીતા વધે. આમ, નવતર પ્રવૃતિ સમસ્‍યા અને જરૂયાતમાંથી ઉદભવેલું એક પધ્‍ધતિસરનું કાર્ય છે.

કોઇ પણ ગમે તેટલી શ્રેષ્‍ઠ નિવડેલી શિક્ષણ વ્‍યવસ્‍થા ભલે કેમ ન હોય તે પણ હંમેશા સમસ્‍યાઓનો સામનો કરે છે, અને તેજ તેની ગુણવતામાં વધારો કરે છે. આ સમસ્‍યાઓ ગમે તે પ્રકારની હોય તો પણ તેનો ઉકેલ જરા હટ કે વિચારસરણીમાં છે. આમ, કોઇ પણ નવતર વિચાર એ કોઇ પણ સમસ્‍યાઓના ઉકેલનું મૂળ છે. એમ, ડાયેટના પ્રાચાર્ય ડો. બી.એમ.રાઉતે માર્ગદર્શન પૂરૂ પાડતા જણાવ્યું કે, આ ઇનોવેશન ફેરમાં ડાયેટના પ્રાચાર્ય ડો. બી.એમ.રાઉત, એ.બી.પટેલ, ટી.પી.ઇ.ઓ. વિજય એસ. ગાયકવાડ, બીઆરસી કો.ઓ. કનકસિંહ જાદવ સહિત સીઆરસી અને શિક્ષકો ઓનલાઇન માધ્‍યમથી જોડાયા હતા.

Latest Stories