ભરૂચ : સંગીતના 40 વાદ્યોમાંથી 9 ફૂટના ઇકોફ્રેન્ડલી શ્રીજીનું શ્રીજીપુરી યુવક મંડળે કર્યું અનોખુ સર્જન

વેસ્ટમાંથી બેસ્ટ ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં માટે ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારનું શ્રીજીપુરી યુવક મંડળ પ્રેરણારૂપ બન્યું

New Update

શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી

શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા શ્રીજીની અનોખી પ્રતિમાનું સર્જન

સંગીતના 40 વાદ્યોમાંથી 9 ફૂટના ગણેશજીની પ્રતિમા બનાવી

રૂ. 10 હજારના ખર્ચે 100 કીલો વજન ધરાવતી પ્રતિમા બનાવી

વાજિંત્રોમાંથી નિર્માણ કાયરેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 1992થી વિવિધ વસ્તુઓ જેવી કેવેસ્ટમાંથી બેસ્ટ ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં માટે ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારનું શ્રીજીપુરી યુવક મંડળ પ્રેરણારૂપ બન્યું છેત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સાથે જ ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છેતેવો સંદેશ શ્રીજી પુરી યુવક મંડળે આપ્યો છે. શ્રીજીપુરી યુવક મંડળના આગેવાન રાકેશ ભટ્ટના માર્ગદર્શનથી મંડળના સભ્યો દ્વારા 20 દિવસના સમયગાળામાં શ્રીજી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે.

જેમાં સંગીતના વિવિધ વાજિંત્રો જેવા કેહાર્મોનિયમસિતારતબલાઢોલકનગારુંવાંસળીઓ અને મંજીરા સહિત 40 જેટલા વાદ્યોનો ઉપયોગ કરી અંદાજીત 10 હજાર રૂપિયાના ખર્ચે 100 કીલોથી વધુ વજનની 9 ફૂટની ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છેતારે હાલ તો ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતામાં વાજિંત્રોમાંથી નિર્માણ કાયરેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Read the Next Article

ભૂસ્ખલનના ભય વચ્ચે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી, જવાનું વિચારતા હોવ તો આટલું જાણી લો

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય.

New Update
Kedarnath yatra2025

કેદારનાથ યાત્રાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જોકે, નદી હજુ પણ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે.

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય. વાસ્તવમાં ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું હતું જેમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. જોકે બાદમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) દ્વારા સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. 

ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘણા ભાગોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. તાજેતરમાં, બારકોટ નજીક વાદળ ફાટવાની ઘટના પણ બની હતી. ઉત્તરાખંડના ચાર જિલ્લાઓ માટે ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે 7 અને 8 જુલાઈના રોજ ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનની શક્યતાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.


કેદારનાથ યાત્રા એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત કેદારનાથ મંદિરની હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ યાત્રા છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ચાર ધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) નો ભાગ છે. કેદારનાથ મંદિર હિમાલયના ખોળામાં 3,583 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને તેને 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.