ભરૂચ : સંગીતના 40 વાદ્યોમાંથી 9 ફૂટના ઇકોફ્રેન્ડલી શ્રીજીનું શ્રીજીપુરી યુવક મંડળે કર્યું અનોખુ સર્જન

વેસ્ટમાંથી બેસ્ટ ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં માટે ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારનું શ્રીજીપુરી યુવક મંડળ પ્રેરણારૂપ બન્યું

New Update

શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી

શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા શ્રીજીની અનોખી પ્રતિમાનું સર્જન

સંગીતના 40 વાદ્યોમાંથી 9 ફૂટના ગણેશજીની પ્રતિમા બનાવી

રૂ. 10 હજારના ખર્ચે 100 કીલો વજન ધરાવતી પ્રતિમા બનાવી

વાજિંત્રોમાંથી નિર્માણ કાયરેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 1992થી વિવિધ વસ્તુઓ જેવી કેવેસ્ટમાંથી બેસ્ટ ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં માટે ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારનું શ્રીજીપુરી યુવક મંડળ પ્રેરણારૂપ બન્યું છેત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સાથે જ ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છેતેવો સંદેશ શ્રીજી પુરી યુવક મંડળે આપ્યો છે. શ્રીજીપુરી યુવક મંડળના આગેવાન રાકેશ ભટ્ટના માર્ગદર્શનથી મંડળના સભ્યો દ્વારા 20 દિવસના સમયગાળામાં શ્રીજી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે.

જેમાં સંગીતના વિવિધ વાજિંત્રો જેવા કેહાર્મોનિયમસિતારતબલાઢોલકનગારુંવાંસળીઓ અને મંજીરા સહિત 40 જેટલા વાદ્યોનો ઉપયોગ કરી અંદાજીત 10 હજાર રૂપિયાના ખર્ચે 100 કીલોથી વધુ વજનની 9 ફૂટની ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છેતારે હાલ તો ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતામાં વાજિંત્રોમાંથી નિર્માણ કાયરેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે...

New Update

આજે શ્રાવણનો છે પ્રથમ શનિવાર

  • રોકડિયા હનુમાન ખાતે ઉમટ્યા ભક્તો

  • રામધૂનનું કરવામાં આવ્યું આયોજન

  • મંદિરમાં ભક્તોની લાગી ભીડ

  • દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા 

અંકલેશ્વર તાલુકાના નૌગામા અને માંડવા ગામ નજીક આવેલ નાગ તીર્થક્ષેત્ર રોકડીયા હનુમાન મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામાના નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરૂ આસ્થાનું સ્થાનક છે.હાલમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઈ છે.અને આજરોજ શ્રાવણના પ્રથમ શનિવાર હોવાથી ભકતો શ્રી રામ દુત હનુમાનજીની ભક્તિમાં લિન બન્યા છે.

રોકડિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી,અને મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું,આ પવિત્ર સ્થાની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર,રોકડિયા હનુમાનજી,નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે.અને આ પાવનકારી તીર્થ સ્થાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.આ અવસર નિમિતે મંદિરમાં ચોવીસ કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેનો લ્હાવો પણ  ભક્તો લઈ રહ્યા છે.