Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત BAPS મંદિર ખાતે જીવન ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન 400થી વધુ યુવક-યુવતીઓ દ્વારા તૈયાર થયેલી કૃતિઓને હજારો લોકો નિહાળશે

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત 7 દિવસીય જીવન ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગતરોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાનાર 7 દિવસીય જીવન ઉત્કર્ષ મહોત્સવનું સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો-મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ 7 દિવસના મહોત્સવમાં પારિવારિક એકતા દઢવતા વિડીયો સંવાદ, પર્યાવરણ જાગૃતિ વિષયક પ્રસ્તુતિ, બાળકો માટે વિવિધ મનોરંજન, વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને પોષ્ટિક ફૂડ કોર્નરને પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી બાળકોમાં સંસ્કારનું પ્રદાન કરવાનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં BAPS આંતરરાષ્ટ્રીય મોટીવેશન સ્પીકર પરમ પૂજ્ય ડો. જ્ઞાનવત્સલસ્વામી સ્વામી, ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત સંતો-મહંતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન 400થી વધુ યુવક-યુવતીઓ દ્વારા તૈયાર થયેલી કૃતિઓને હજારો લોકો નિહાળશે. 7 દિવસ ચાલનારી આ પ્રદર્શનનીમાં સમગ્ર ભરૂચ સહિત નર્મદા જિલ્લામાંથી લગભગ 80 હજારથી વધુ લોકો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story