ભરૂચ : ઝઘડિયાના સરસાડ ગામે વહેતી ગુપ્ત નદી ગોદાવરીનું જળસ્નાન ચર્મરોગ માટે ચમત્કારિક હોવાની લોકોમાં માન્યતા...

માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે. પ્રવાહ ક્યાંથી આવે છે, અને તેનું મૂળ કયાં છે, તે પણ આજદિન સુધી ગુપ્ત રહેવા પામ્યું છે.

New Update

ઝઘડિયા તાલુકાના સરસાડ ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ચમત્કારિક જળસ્નાન. ગુપ્તપણે વહેતું ગોદાવરી નદીનું નીર એક અમૃત જળ.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ગુપ્તપણે વહેતું ગોદાવરી નદીનું નીર ચર્મરોગ માટે ચમત્કારિક સાબિત થતાં લોકોમાં આ સ્થળ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વસતાં હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનો ગામ આંગણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે. કારણ કેએક માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે. પ્રવાહ ક્યાંથી આવે છેઅને તેનું મૂળ કયાં છેતે પણ આજદિન સુધી ગુપ્ત રહેવા પામ્યું છે. ગુપ્ત ગોદાવરીના નીરમાં રહેલું વિશિષ્ટ સત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જડમૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તતી માન્યતાના પરિણામે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ પર સ્નાન કરવા માટે આવતા હોય છે.

અહી લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હોય છે. મહારાષ્ટ્રના નાસિક નજીક વહેતી ગોદાવરીના નીર ઝઘડિયાના સરસાડ ગામે ક્યાંથી આવે છેતે પ્રશ્નના નિરાકરણ માટે સરસાડ ગામે બનેલ એક ઘટના પણ લોકોમાં પ્રચલિત છે. લોક વાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રક્તકોઢ નીકળ્યો હતો. જેના નિવારણ માટે રાજવૈદ્યએ તેમને નાસિક પાસે વહેતી ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું જણાવ્યું હતું. તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા હતા. 

આ દરમિયાનમાં ઝઘડિયાના સરસાડ ગામ પાસેથી નીકળતી વખતે રાજા જયસિંહની તબિયત અચાનક ગંભીર થતાં રાજાએ સરસાડમાં મુકામ કર્યો હતો. ચર્મરોગથી પિડાતા રાજાએ સ્થળે ગોદાવરીનું અંત: કરણથી સ્મરણ કરતાં ગૌ મુખમાંથી નીરનો પ્રવાહ વહેતો થયો હતોત્યારે રાજાએ નીરમાં સ્નાન કરતાં તેમના શરીર પરનો રક્તકોઢ ગાયબ થઈ ગયો હતોત્યારથી જ ગુપ્ત ગોદાવરી પ્રત્યે લોકોમાં શ્રદ્ધા વધુ દ્રઢ બની છે.

ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ ચર્મરોગથી પિડાતા અસંખ્ય લોકો સરસાડ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગમુક્ત બને છે. આમ લોકો નર્મદા સાથે ગુપ્ત ગોદાવરીને પણ પાવન અને પુણ્યસલિલા માને છે.

Read the Next Article

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે, શાસ્ત્રોમાંથી રહસ્ય જાણો

દરેક શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે. શાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો અને તેના શુભ પ્રભાવો જાણો.

New Update
coconut

દરેક શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે. શાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો અને તેના શુભ પ્રભાવો જાણો.

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર તોડવું એ ફક્ત એક ધાર્મિક વિધિ નથી, પરંતુ વેદ-પુરાણો, જ્યોતિષ અને વિજ્ઞાન અનુસાર, તે શુભતા, શુદ્ધતા અને દૈવી ઉર્જાનું પ્રતીક છે.

નાળિયેરનું કઠણ કવચ અહંકાર અને નકારાત્મકતાનો ભંગ દર્શાવે છે, જ્યારે તેની સફેદ કર્ણ આત્માની શુદ્ધતા દર્શાવે છે. આ ક્રિયા શરૂઆત પહેલા સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવાનું માધ્યમ છે.

વેદ-પુરાણોમાં ઉલ્લેખ - સ્કંદ પુરાણ અને અગ્નિ પુરાણમાં, નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે, જેનો અર્થ 'લક્ષ્મીનું ફળ' થાય છે. તેને સમૃદ્ધિ, સૌભાગ્ય અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.

ત્રિમૂર્તીના પ્રતીક - નાળિયેર પર હાજર ત્રણ આંખો બ્રહ્મા (સર્જન), વિષ્ણુ (સંરક્ષણ) અને શિવ (વિનાશ)નું પ્રતિનિધિત્વ કરે છે.

શાસ્ત્રીય પુરાવા- મંત્ર બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે શ્રીફલમ બ્રહ્મસંપન્નમ સર્વકાર્યશુ પૂજિતમ એટલે કે, નારિયેળ એ બ્રહ્મતત્વથી સંપન્ન ફળ છે અને બધા શુભ કાર્યોમાં તેની પૂજા કરવામાં આવે છે.

જ્યોતિષીય મહત્વ

ગ્રહ દોષ નિવારણ: વહેતા પાણીમાં નારિયેળ તરાવવાથી નકારાત્મક ગ્રહોની અસર ઓછી થાય છે.

શનિવારનું મહત્વ: શનિવારે પીપળાના ઝાડ નીચે નારિયેળ ફોડવાથી શનિ દોષ ઓછો થાય છે અને ભાગ્ય વધે છે તેવું માનવામાં આવે છે.

ખાસ તારીખો: અમાવસ્યા, નવમી અને ગ્રહ શાંતિ પૂજા પર નારિયેળ ચઢાવવું અત્યંત શુભ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કારણો

શુદ્ધ પાણીનું પ્રતીક: નારિયેળ પાણી બેક્ટેરિયા મુક્ત અને શુદ્ધ છે, તેથી તેને અમૃત સમાન માનવામાં આવે છે.

અહંકાર-ત્યાગનો સંદેશ: કઠણ કવચ આપણા અહંકાર અને નકારાત્મક વિચારોનું પ્રતીક છે.

માનસિક એકાગ્રતા: નારિયેળ ફોડવાનો અવાજ પૂજા દરમિયાન માનસિક ઉર્જા અને ધ્યાન કેન્દ્રિત કરે છે.

શુભ પરિણામો માટે નારિયેળ ઉપાય
શનિવારે નારિયેળ ફોડો અને પાણી અર્પણ કરો, તેનાથી શનિ દોષથી રાહત મળે છે. નવરાત્રિમાં મા દુર્ગાને નારિયેળ અર્પણ કરો, અવરોધો દૂર થાય છે. કામકાજની શરૂઆતમાં, એક નારિયેળ તોડો અને તેના ટુકડા ચારે બાજુ ફેલાવો, નકારાત્મકતા દૂર થાય છે.

સાંસ્કૃતિક મહત્વ

દક્ષિણ ભારત- મંદિરમાં પ્રવેશતા પહેલા નારિયેળ તોડવું એ યાત્રા અને કાર્ય શરૂ કરવાનું પ્રથમ પગલું છે.

કેરળ અને તમિલનાડુ- દેવતાઓને નૈવેદ્ય તરીકે નારિયેળ અર્પણ કરવું ફરજિયાત છે.

બૌદ્ધ સંસ્કૃતિ- નારિયેળને શુદ્ધ દાન અને આધ્યાત્મિક શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

FAQs
Q1: શું દરેક પૂજામાં નારિયેળ તોડવું જરૂરી છે?

હા, તે શુભતા અને સમર્પણનું પ્રતીક છે.

Q2: શું પૂજામાં તૂટેલું નારિયેળ અર્પણ કરી શકાય?

ના, ફક્ત અખંડ નારિયેળ જ અર્પણ કરવું જોઈએ.

Q3: નારિયેળ ક્યારે તોડવું શુભ છે?

શુભ મુહૂર્ત અને પૂજાની શરૂઆતમાં.

અસ્વીકરણ: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે.

 coconut | Religion News | Sanatan Dharma