અરવલ્લી : ઇન્દ્રાસી જળાશયની મધ્યમાં બિરાજતું ભવનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર,"કેદારનાથનું મળ્યું ઉપનામ!

અરવલ્લીના ઇન્દ્રાસી જળાશયની મધ્યમાં બિરાજતું ભવનાથ મહાદેવ મંદિર આજે ગુજરાતના 'કેદારનાથ' તરીકે નવી ઓળખ મેળવી રહ્યું છે.અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું

New Update
  • ભવનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર

  • ઇન્દ્રાસી જળાશયની મધ્યમાં બિરાજે છે મહાદેવ

  • ગુજરાતના 'કેદારનાથતરીકે નવી ઓળખ મેળવી

  • 5000 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ છે પ્રસ્થાપિત

  • ભૃગુ કુંડની માટીથી ચર્મરોગ મટતો હોવાની માન્યતા 

અરવલ્લીના ઇન્દ્રાસી જળાશયની મધ્યમાં બિરાજતું ભવનાથ મહાદેવ મંદિર આજે ગુજરાતના 'કેદારનાથતરીકે નવી ઓળખ મેળવી રહ્યું છે.જળાશયની વચ્ચેથી પસાર થતો માર્ગ અને બંને બાજુ લહેરાતું પાણી કેરળના 'બેકવોટર્સજેવો મનોહર નજારો સર્જે છે. મહર્ષિ ભૃગુની આ પવિત્ર તપોભૂમિમાં 5000 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ પ્રસ્થાપિત છે. લોકવાયકા મુજબઅહીંના ભૃગુ કુંડની માટી ચર્મરોગ મટાડવાની દિવ્ય શક્તિ ધરાવે છે. રાજ્ય સરકાર આ ધામને આધ્યાત્મિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવી રહી છેજ્યાં આધુનિક ગેસ્ટ હાઉસ અને સુગમ માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદથી માત્ર 126 કિમી દૂર આવેલું આ સ્થાન ભક્તિ અને પ્રકૃતિનું અદભૂત મિલન છે.

આ સ્થળ હરિ-હરના સમન્વયનું પ્રતીક છેજ્યાં સદીઓ પહેલા મહર્ષિ ભૃગુએ કઠોર સાધના કરી હતી. શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો સ્વયંભૂ શિવલિંગના દર્શન અને જળાભિષેક માટે અહીં ઉમટી પડે છે. ભૃગુ કુંડની પવિત્ર માટી ઔષધીય ગુણો માટે જાણીતી છેતો બાળકોના મુંડન સંસ્કાર માટે પણ આ ભૂમિને અત્યંત શુભ માનવામાં આવે છે.

અમદાવાદથી હિંમતનગર થઈને માત્ર અઢી કલાકમાં પહોંચી શકાતા આ ધામમાં મુંબઈ જેવા મહાનગરોથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જળાશયની વચ્ચેથી પસાર થતો મંત્રમુગ્ધ કરતો માર્ગ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. આધ્યાત્મિક શાંતિ અને અપ્રતિમ કુદરતી સુંદરતાનો આ સંગમ અરવલ્લી જિલ્લાને પ્રવાસન નકશા પર નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યો છે.

Latest Stories