Connect Gujarat
ધર્મ દર્શન 

ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, ભક્તો માતાજીની ભક્તિમાં બનશે લીન

ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, ભક્તો માતાજીની ભક્તિમાં બનશે લીન
X

ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે.

આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રિના પહેલા દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે.ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઇ જાય છે. તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બિમારીઓ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. જેના કારણે નવરાત્રિમાં વ્રત રાખવાની પરંપરા છે, જેથી ખાનપાનમાં કોઇપણ પ્રકારની બેદરકારી થાય નહીં. આ દિવસોમાં ફળાહાર કરવાનું મહત્ત્વ છે. ફળના રસનું સેવન કરવામાં આવે છે. જે આપણાં શરીર માટે લાભદાયી રહે છે. ચૈત્ર નવરાત્રિને સ્વાસ્થ્ય નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. થોડાં લોકો આ દિવસોમાં લીમડાના પાનનું સેવન પણ કરે છે.

Next Story