Connect Gujarat
ધર્મ દર્શન 

આજે ઉજવાશે એકાદશીનો પ્રાગટ્ય દિવસ, ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું વ્રતનું મહત્વ

ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ડિસેમ્બરના રોજ એટલે કે આજે કરવામાં આવશે.

આજે ઉજવાશે એકાદશીનો પ્રાગટ્ય દિવસ, ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું વ્રતનું મહત્વ
X

ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ડિસેમ્બરના રોજ એટલે કે આજે કરવામાં આવશે. વ્રતને પુરાણોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન જોવા મળે છે. વાસ્તવમાં આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે. અને એટલે જ કહે છે કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.

Next Story