/connect-gujarat/media/post_banners/10d1a71bfcd7a6413bcc69f3a73dde73b018d004e53936db84cbe8c86c500da9.webp)
પિતૃઓમાં આશીર્વાદથી ઘર અને પરિવારનો વિકાસ થાય છે. પરંતુ જો પિતૃ દોષ હોય તો તમારી 7 પેઢી સુધી તેનું પરિણામ ભોગવવું પડે છે. તો જાણો ઘરમાં પિતૃ દોષ છે કે નહીં તે કેવી રીતે ઓળખવો અને તેને નિવારવાના ઉપાયો વિષે...
· જો પરિવારમાં કોઈ અચાનક અકસ્માત કે નોકરી ધંધામાં પ્રગતિનો અભાવ, ઘરેલુ અનેક પરેશાનીઓ, સંતાન સંબંધિત સમસ્યાઓ, લગ્ન જીવનમાં અવરોધ, ખરાબ સ્વાસ્થ્ય વગેરે પિતૃ દોષના લક્ષણો છે.
· પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓની મૃત્યુ તિથી અથવા શ્રાદ પક્ષ દરમિયાન સર્વ પિતૃ અમવસ્યા પર તર્પણ કરો અને બ્રાહમણને ભોજન કરાવો. તમારાથી બને તેટલું દાન કરો.
· પિતૃઓને પ્રસન્ન કરવા માટે દરરોજ સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
· વર્ષની દરેક એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાએ ત્રિપંડી શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કર્યા પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, સોનું, ગાય, ચંડિનું દાન કરવું જોઈએ. આમ કરવાથી પિતૃઓને રાહત મળે છે.
· કોઈ પણ સાર્વજનિક સ્થળે પીપળનું વૃક્ષ વાવો અને તેની સેવા કરો. શ્રીમદ ભાગવત ગીતાના સાતમા અધ્યાયના દરરોજ પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે.