Connect Gujarat
ધર્મ દર્શન 

ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદમાં ધરાવો પાઈનેપલની બરફી, જાણો તેને ઘરે બનાવવાની રીત.....

લોકો પાઈનેપલનું સેવન સલાડ અને જ્યુસમાં કરતાં હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પાઈનેપલની બરફી પણ ખૂબ જ સરસ બને છે

ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદમાં ધરાવો પાઈનેપલની બરફી, જાણો તેને ઘરે બનાવવાની રીત.....
X

સાતમ આઠમ હવે નજીકમાં જ છે ત્યારે આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ભોજનમાં આ મીઠાઇ ધરાવો તો ખોટું નથી. પાઈનેપલ એક રસાળ ફળ છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, ફૉસ્ફરસ, કેલ્સિયમ , વિટામિન એ, વિટામિન સી, ભરપૂર પ્રમાણમા હોય છે. સામાન્ય રીતે લોકો પાઈનેપલનું સેવન સલાડ અને જ્યુસમાં કરતાં હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પાઈનેપલની બરફી પણ ખૂબ જ સરસ બને છે. તેનાથી મોઢામાં મીઠાસ ઓગળી જાય છે. આવો જોઈએ આ સ્વીટ ડિશ ઘરે કેવી રીતે બનાવવી.

પાઈનેપલની બરફી બનાવવાની સામગ્રી

§ 1 કપ અનાનસના ટુકડા

§ 1/2 કપ છીણેલું નારિયેળ

§ 2 ચમચી ઘી

§ 1 કપ ખાંડ

§ 1/2 કપ કસ્ટર્ડ પાવડર

પાઈનેપલની બરફી બનાવવાની રીત:-

§ સૌ પ્રથમ એક પેનમાં 1 કપ ખાંડ અને દોઢ કપ પાણી નાખો.

§ ખાંડ પૂરી રીતે ઓગળી જાય અને મિશ્રણ થોડું ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.

§ ધ્યાનમાં રાખો કે તમારે ચાસણી બનાવવાની નથી, માત્ર ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લો.

§ આ પછી એક મિક્સર જારમાં છીણેલું નારિયેળ અને પાઈનેપલના ટુકડા નાખો.

§ પછી બંનેને સારી રીતે પીસીને સ્મૂધ મિશ્રણ બનાવી લો.

§ આ પછી, સ્ટ્રેનરની મદદથી મિશ્રણને સારી રીતે ગાળી લો અને તેનો રસ કાઢો.

§ પછી રસમાં કસ્ટર્ડ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

§ ત્યારબાદ તેમાં ગરમ ખાંડનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

§ આ મિશ્રણને એક પેનમાં રેડો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહી મધ્યમ તાપ પર રાંધો.

§ આ પછી, તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

§ પછી જ્યારે આ મિશ્રણ બફાઈ જાય અને ઘટ્ટ થવા લાગે તો ગેસ બંધ કરી દો.

§ આ પછી, એક પ્લેટ લો અને તેને ઘી સાથે સારી રીતે ગ્રીસ કરો.

§ પછી તરત જ તેમાં તૈયાર કરેલું મિશ્રણ રેડી દો અને તેને સરખી રીતે ફેલાવો.

§ આ પછી, તેને ઓછામાં ઓછા 1 કલાક માટે ફ્રીઝમાં રાખો.

§ તૈયાર છે ટેસ્ટી પાઈનેપલ બરફી. હવે તેને મનપસંદ આકારમાં કાપી લો.

Next Story