ભરૂચ : આમોદ સ્થિત શ્રી વેરાઈ માતાના મંદિરે ચૈત્ર વદ તેરસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા, માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આમોદમાં બિરાજમાન આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્ર વદ તેરસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી

New Update
  • આમોદ સ્થિત શ્રી વેરાઈ માતાના મંદિરે કરાયું આયોજન

  • ચૈત્ર વદ તેરસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • તેરસ નિમિત્તે દર્શન અર્થે માઈ-ભક્તોની ભારે ભીડ ઉમટી

  • દૂર દૂરથી ભક્તો મનોકામના પૂર્ણ કરવા આવે છે દર્શનાર્થે

  • સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદમાં બિરાજમાન આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્ર વદ તેરસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે દર વર્ષે આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્ર વદ તેરસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભંડારાનું વિશેષ આયોજન થાય છે. જેમાં આજુબાજુ ગામના સહિત અનેક જિલ્લામાંથી માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરવા તેમજ માતાજીના દર્શન અર્થે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે મંદિરમાં હવન તેમજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં અનેક લોકો આસ્થા અને વિશ્વાસ સાથે દર્શનાર્થે આવતા હોય છે. અહીં જેઓની મનોકામના પૂર્ણ ન થતી હોય તેઓ માતાજી સમક્ષ મસ્તક ઝુકાવી માનતા માને છેઅને માતાજી એ મનોકામના પૂર્ણ કરી રહ્યા હોવાના પણ અનેક ઉદાહરણ પણ જોવા મળ્યા છે.

માતાજીના મંદિર સાનિધ્યમાં પૌરાણિક પાણીનો કૂવો છેજે ચૈત્ર વદ તેરસના દિવસે પાણીનું વહેણથી કુવામાં અચાનક જળ સપાટી વધી જાય છે. અને હવનઆરતી અને મહાપ્રસાદી બાદ અચાનક કુવામાં જળ સપાટી ઓછી થઈ જાય છેએ સાક્ષાત ચમત્કારના દર્શન હાજર માઈભક્તો પોતાની નજરે નિહાળે છે.

Advertisment
Latest Stories