ઇસ્લામ એ એક એકેશ્વરવાદી ધર્મ છે એ મુજબ એક માત્ર ઈશ્વર અલ્લાહ છે અને પયગંબર હજરત મુહમ્મદ એના દુત છે. દિવ્ય આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા.
એટલા માટે જ ઇસ્લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. ઇસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આના અનુયાયીઓની સંખ્યા ૧.૮૦ અબજથી વધારે છે
મુસલમાનોની બહુમતી ધરાવતા ૫૦ દેશો છે. ઇસ્લામ શીખવાડે છે કે અલ્લાહ દયાળુ, સર્વ શક્તિમાન અને અજોડ છે જે પોતાના દૂતો, પવિત્ર ગ્રંથો અને પ્રાકૃતિક નિશાનીઓ દ્વારા માર્ગદશન કરે છે.
મુસલમાનોનો મુખ્ય ધાર્મિક ગ્રંથ કુરાન છે જે અલ્લાહ તરફથી અવતરિત થયો હોવાનું મુસલમાનો માને છે. બીજા ધર્મગ્રંથોને સુન્નત કે હદીસ તરીકે ઓળખવામાં આવે છે, જે હજરત મુહમ્મદે જે વચનો કહ્યાં કે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા એના સંગ્રહ છે. ઇસ્લામ શબ્દ અ-મ-ન (અમન – શાંતિ ) પરથી બન્યો છે.
મુસલમાનોમાં મુખ્યત્વે બે સંપ્રદાયો જોવા મળે છે. સુન્ની મુસલમાનો અને શિયા મુસલમાનો. એટલે ઇસ્લામનો અર્થ થયો કે અલ્લાહને સમર્પિત થઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞાપાલન કરવું અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્વામી અને માલિકમાં શ્રદ્ધા રાખી તેનો એકરાર કરવો.