વલસાડ જિલ્લાની 2 પ્રાથમિક શાળાના 2 શિક્ષકો છેલ્લા 4 મહિનાથી બિનઅધિકૃત રજા પર, વાલીઓમાં રોષ..!

અંદરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે

New Update
  • અંદરગોટા અને ઓઝર તાળ ફળિયા પ્રાથમિક શાળાનો મામલો

  • છેલ્લા 4 મહિનાથી ધો-6,7,8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો

  • શાળામાં શિક્ષક હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું

  • વાલીઓ સહિત ગ્રામજનોમાં બેજવાબદાર શિક્ષકો વિરુદ્ધ રોષ

  • શિક્ષણ વિભાગે બન્ને શિક્ષકોને નોટિસ ફટકારી : પ્રા.શિ.અધિકારી

વલસાડ તાલુકાના અંદરગોટા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમ્ય બન્યું છે. છેલ્લા 4 મહિનાથી ધોરણ 67 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી ભણાવતા શિક્ષક શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. જેના પગલે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.

 વલસાડ તાલુકાના અંદરગોટા ગામ ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંદરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ 67 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ગામના સરપંચ તથા વાલીઓ દ્વારા શાળામાં આ અંગે પૂછપરછ કરતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યાએ વ્હોટ્સએપ પર જાણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

આ સાથે જ તેઓ ફરજ પર પરત ક્યારે હાજર થશે તે અંગે કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથીઅને કપાત પગારની મજૂરીની માંગ ગત તા. 21 ઓગષ્ટ 2024ના રોજ વ્હોટ્સએપના માધ્યમથી જ કરવામાં આવી હતી. તો બીજી તરફછેલ્લા 4 મહિનાથી શિક્ષક ફરજ પર હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છેજેને લઈ વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.

વલસાડ તાલુકાના અંદરગોટા ગામની પ્રાથમિક શાળા ખાતે છેલ્લા 4 મહિનાથી શિક્ષક હાજર થયા નથી. ગામના સરપંચ તથા વાલીઓને શિક્ષક હાજર ન રહેવાની જાણ થતાં સમગ્ર મામલે તપાસ કરાવતા શિક્ષક વિદેશ જતા રહ્યા હોવાની વિગતો સામે આવી છે. જેથી ગામના સરપંચ અને વાલીઓ દ્વારા અન્ય શિક્ષકની માંગ કરવામાં આવી હતી. ગામના સરપંચ અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યાની જગ્યા ઉપર અન્ય શિક્ષકને મુકવા માટે રજુઆત કરવામાં આવી હતી.

તેમ છતાં છેલ્લા 4 મહિનાથી શાળામાં અન્ય શિક્ષકની નિમણૂક ન કરવામાં આવતા વાલીઓ તથા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધોરણ 67 અને 8ના વિદ્યાર્થીનું નવું સેમિસ્ટર આવતા ગુજરાત અને સંસ્કૃત વિષયમાં અભ્યાસ નબળો બન્યો છેજેને લઈ વાલીઓ હવે પોતાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મુકવા માટે મજબૂર બન્યા હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ જિલ્લાની અંડરગોટા પ્રાથમિક શાળાના શિક્ષક ભાર્ગવ પંડ્યા અને ઓઝર તાળ ફળિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિ જોષી છેલ્લા 4 મહિનાથી બિનઅધિકૃત રજા ઉપર છેત્યારે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા બન્ને શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ અન્ય શિક્ષકોની વ્યવસ્થા કરાઈ હોવાનું પણ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતું.

Read the Next Article

રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 6374 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે. તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

New Update
railways

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે.

તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

રેલ્વેમાં નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ જાહેરાત કરી છે કે ટેકનિશિયનની 6374 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ ટેકનિશિયન ગ્રેડ-1 અને ટેકનિશિયન ગ્રેડ-3 ની જગ્યાઓ માટે હશે. બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સંખ્યા હજુ પ્રારંભિક છે અને અંતિમ સૂચનામાં તેમાં ફેરફાર શક્ય છે. એટલે કે, પોસ્ટ્સની સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે.

ટૂંક સમયમાં ભરતી બોર્ડ આ ખાલી જગ્યાની વિગતવાર સૂચના બહાર પાડશે, જેમાં અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયા વગેરે વિશેની બધી માહિતી પણ હશે. આ ભરતી રેલ્વેના તમામ ઝોનમાં કરવામાં આવશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ફક્ત ઓનલાઈન મોડમાં જ અરજી કરવાની રહેશે.

કયા ઝોનમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

૧. પૂર્વીય રેલ્વે (ER): ૧,૧૧૯ જગ્યાઓ

૨. પશ્ચિમ રેલ્વે (WR): ૮૪૯ જગ્યાઓ

૩. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF): ૪૦૪ જગ્યાઓ

૪. ઉત્તરીય રેલ્વે (NR): ૪૭૮ જગ્યાઓ

૫. ઉત્તર મધ્ય રેલ્વે (NCR): ૨૪૧ જગ્યાઓ

૬. મધ્ય રેલ્વે (CR): ૩૦૫ જગ્યાઓ

RRB ગ્રેડ-૧ ટેકનિશિયન પોસ્ટ્સ માટે, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને મહત્તમ ૩૬ વર્ષ હોવી જોઈએ. તે જ સમયે, ગ્રેડ-૩ પોસ્ટ્સ માટે મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. તે જ સમયે, અરજદાર પાસે સંબંધિત ટ્રેડમાં B.Sc ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ.