/connect-gujarat/media/post_banners/43286a64dc00729c0fed3393ee37ca59bbb08a1f4ba0433259eeed33b0b49595.jpg)
ઉનાળુ વેકેશન પૂરું થતા જ સ્કૂલો કેમ્પસ ફરી બાળકોની કિલકારીથી ગુંજી ઊઠ્યા છે. ત્યારે વાલીઓએ પોતાના બાળકો માટે સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો વગેરેની ખરીદી કરી રહ્યા છે. જો કે કાગળનાં ભાવમાં અકલ્પનિય વધારો થવા છતાં સરકારી પાઠ્યપુસ્તકોનાં ભાવ યથાવત છે. પરંતુ સ્વાધ્યાયપોથી સહિતનાં મોટાભાગની સ્કૂલોમાં જરૂરી એવા પ્રાઇવેટ પ્રકાશનોમાં 25 ટકા કરતા વધુનો વધારો નોંધાયો છે. તેમજ સ્ટેશનરીની વસ્તુઓ પણ 10 ટકા જેટલી મોંઘી થઈ છે. આથી પહેલા ધોરણના ખર્ચથી જ મધ્યમ વર્ગના વાલીઓની કમર તૂટી જાય છે. જે નોટબુક અગાઉ 30 રૂપિયાની હતી તેનાં ભાવ વધીને રૂ. 40 થી 50 થઈ ગયા છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોનાં ભાવો સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ પ્રાઇવેટ પ્રકાશનોનાં ભાવ વધતા વાલીઓ પર થોડો બોજો વધવો નિશ્ચિત છે.