New Update
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ સ્ટેશનરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ અંકલેશ્વરમાં પાઠયપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે
ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે જ સ્ટેશનરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.આ વખતે વાલીઓ માટે રાહતના સમાચાર છે.આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થયો નથી.ગત વર્ષે પાઠયપુસ્તકોના ભાવમાં 15 ટકાનો વધારો નોંધાયો હતો જેના કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની હતી.જો કે આ વર્ષે પાઠયપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે
Latest Stories