/connect-gujarat/media/post_banners/b123c4b1be68bb51cea4a9f86b2b830dec0e8ebff94a7dcc91221fce520a65cd.jpg)
જ્ઞાન સહાયક યોજના કોન્ટ્રાકટ આધારિત ભરતીનો મામલો
જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ સાથે NSUIનો વિરોધ
વિરોધ દરમ્યાન કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
જ્ઞાન સહાયક યોજના કોન્ટ્રાકટ આધારિત ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના રેલ્વે સ્ટેશન NSUI દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રેલ્વે સ્ટેશન બહાર ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગ કરાઈ હતી કે, જ્ઞાન સહાયક યોજના કોન્ટ્રાકટ આધારિત ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કોંગી કાર્યકરો દ્વારા હાથમાં પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન દરમ્યાન ભારે સુત્રોચાર સાથે માર્ગ પર જ બેસી જઈ આક્રમક અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ, એક સમયે પોલીસ અને કોંગી કાર્યકારો વચ્ચે ધર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. જે બાદ પોલીસે વિરોધ કરી રહેલા ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમ્યાન ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ ધનરાજસિંહ પટેલ, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, ભરૂચ લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન, ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શહેર પ્રમુખ હરીશ પરમાર કોંગી અગ્રણી જુબેર પટેલ સહિત કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.