કેન્દ્ર સરકારે UGC-NETની પરીક્ષા રદ્દ કરી,નવેસરથી લેવામાં આવશે પરીક્ષા

કેન્દ્ર સરકારે 19 જૂન બુધવારના રોજ UGC-NET પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષા એક દિવસ અગાઉ 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી. OMR બે શિફ્ટમાં હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કે પેન અને પેપર મોડમાં

New Update
 UGC-NEt

UGC-NET

કેન્દ્ર સરકારે 19 જૂન બુધવારના રોજ UGC-NET પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષા એક દિવસ અગાઉ 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી. OMR બે શિફ્ટમાં હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કે પેન અને પેપર મોડમાં. 19 જૂનના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પરીક્ષામાં ગેરરીતિઓ અંગેના ઇનપુટ મળ્યા હતા.

આ પછી શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને તેને રદ કરવાનો આદેશ આપ્યો. હવે નવેસરથી પરીક્ષા લેવાશે. તેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. કેન્દ્રએ આ કેસ CBIને તપાસ માટે સોંપ્યો છે.

Read the Next Article

ભરૂચ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરાયા

શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.

New Update
RS Dalal Highschool
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે. આ તમામ ઉમેદવારોને આજરોજ  આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે  શિક્ષણાધિકારી સ્વાતિબા કે. રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા.સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી