નવસારી : સતીમાળ ગામની પ્રાથમિક શાળાના મકાનમાં ભ્રષ્ટાચારની ગંધ, શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં

બાળકો જયા બેઠા છે ત્યાં અમારો જીવ પણ જઈ શકે છે. શાળાના બીમ્બો જોલા ખાઈ રહ્યા છે તો સ્લેબ પણ ટુટવાની તૈયારી કરી રહ્યો છે..

New Update
નવસારી : સતીમાળ ગામની પ્રાથમિક શાળાના મકાનમાં ભ્રષ્ટાચારની ગંધ, શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં

આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા શિક્ષણ અને શિક્ષણ ને લગતા ઇન્ફાસ્ટ્રકચર પાછળ ખર્ચી રહ્યા છે ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં આવેલ સતીમાણ ગામની પ્રાથમિક શાળાના મકાનમાં ભ્રષ્ટાચારની ગંધ આવવાના પુરાવા બાંધકામમાં કઈક રાંધ્યું હોય એવી ગવાહી પુરી રહ્યા છે...

આ છે વાંસદા તાલુકાના આદિવાસી બહુલ ધરાવતું સતીમાળ ગામ. જ્યાં આદિવાસી સમાજના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકો અભ્યાસ લઈ રહ્યા છે. પણ બાળક ને ક્યાં ખબર છે કે બાળકો જયા બેઠા છે ત્યાં અમારો જીવ પણ જઈ શકે છે. શાળાના બીમ્બો જોલા ખાઈ રહ્યા છે તો સ્લેબ પણ ટુટવાની તૈયારી કરી રહ્યો છે..

ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એ કદાચ સર મોતની પથારી પણ બની શકે એવી જર્જરિત શાળા છે શાળાના આચાર્ય દ્વારા જિલ્લા પંચાયત રજૂઆત પણ કરવામાં આવી છે પણ પરિણામ મળ્યું નથી.જેનાથી શિક્ષકોને પણ મરવાનો ભય સતાવી રહ્યો છે...

આદિવાસીના બાળકો સાથે સરકાર જીવન મરણની રમત રમતું હોય એમ કેટલીક રજૂઆત છતાં શાળા માટે કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનો પણ રોષે ભરાઈને ચીમકી પણ આપી રહ્યા છે ત્યારે સરકાર મા બેઠેલા નેતાઓ આ બાબતે જાગૃત નહીં થાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે જેના માટે સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા છે...

Read the Next Article

રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 6374 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે. તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

New Update
railways

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે.

તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

રેલ્વેમાં નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ જાહેરાત કરી છે કે ટેકનિશિયનની 6374 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ ટેકનિશિયન ગ્રેડ-1 અને ટેકનિશિયન ગ્રેડ-3 ની જગ્યાઓ માટે હશે. બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સંખ્યા હજુ પ્રારંભિક છે અને અંતિમ સૂચનામાં તેમાં ફેરફાર શક્ય છે. એટલે કે, પોસ્ટ્સની સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે.

ટૂંક સમયમાં ભરતી બોર્ડ આ ખાલી જગ્યાની વિગતવાર સૂચના બહાર પાડશે, જેમાં અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયા વગેરે વિશેની બધી માહિતી પણ હશે. આ ભરતી રેલ્વેના તમામ ઝોનમાં કરવામાં આવશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ફક્ત ઓનલાઈન મોડમાં જ અરજી કરવાની રહેશે.

કયા ઝોનમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

૧. પૂર્વીય રેલ્વે (ER): ૧,૧૧૯ જગ્યાઓ

૨. પશ્ચિમ રેલ્વે (WR): ૮૪૯ જગ્યાઓ

૩. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF): ૪૦૪ જગ્યાઓ

૪. ઉત્તરીય રેલ્વે (NR): ૪૭૮ જગ્યાઓ

૫. ઉત્તર મધ્ય રેલ્વે (NCR): ૨૪૧ જગ્યાઓ

૬. મધ્ય રેલ્વે (CR): ૩૦૫ જગ્યાઓ

RRB ગ્રેડ-૧ ટેકનિશિયન પોસ્ટ્સ માટે, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને મહત્તમ ૩૬ વર્ષ હોવી જોઈએ. તે જ સમયે, ગ્રેડ-૩ પોસ્ટ્સ માટે મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. તે જ સમયે, અરજદાર પાસે સંબંધિત ટ્રેડમાં B.Sc ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ.