Connect Gujarat
શિક્ષણ

ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, વાંચો વર્ષે કોને, કેટલી મળશે સ્કોલરશીપ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, વાંચો વર્ષે કોને, કેટલી મળશે સ્કોલરશીપ
X

વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ અપાશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. 20,000 અને ધોરણ-11થી 12 સુધીના અભ્યાસ દરમ્યાન વર્ષિક રૂ. 25,000ની રકોલરશીપ આપવામાં આવશે.


Next Story