અભિનેતા કૃણાલ કપૂર દેખાશે નીતિશ તિવારીની રામાયણમાં

'રંગ દે બસંતી',' આજા નચ લે' અને 'લવ શવ તે ચિકન ખુરાના' જેવી ફિલ્મોમાં જોવા મળેલ અભિનેતા કુણાલ કપૂર નીતિશ તિવારી દ્વારા નિર્દેશિત પૌરાણિક ફિલ્મ રામાયણનો ભાગ બની ગયો છે.

New Update
s

'રંગ દે બસંતી',' આજા નચ લે' અને 'લવ શવ તે ચિકન ખુરાના' જેવી ફિલ્મોમાં જોવા મળેલ અભિનેતા કુણાલ કપૂર નીતિશ તિવારી દ્વારા નિર્દેશિત પૌરાણિક ફિલ્મ રામાયણનો ભાગ બની ગયો છે.

હાલમાં, અભિનેતાના પાત્રને લગતી કોઈ માહિતી સામે આવી નથી, જો કે અહેવાલોનું માનીએ તો, અભિનેતાએ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પિંકવિલાના તાજેતરના અહેવાલ મુજબ, કુણાલ કપૂરે ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે

જ્યારે સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાનો રોલ કરી રહી છે. રિપોર્ટમાં ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કુણાલે તેના પાત્ર માટે કોસ્ચ્યુમ ટ્રાયલ પણ કરાવ્યું છે

 અને હવે તે સ્ક્રિપ્ટનું રિહર્સલ કરી રહ્યો છે. ફિલ્મમાં અભિનેતા કયું પાત્ર ભજવશે તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી નથી.

Latest Stories