New Update
/connect-gujarat/media/media_files/IeZ2Ni3gu5nRGgCS7xxX.jpeg)
અભિનેતા આર. માધવને તાજેતરમાં પાન મસાલા બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ નકારી કાઢ્યું છે. આ માટે અભિનેતાને મોટી રકમની ઘણી ઓફર આવી હતી.
જો કે, દર્શકો પ્રત્યેની પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને, અભિનેતાએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો.અભિનેતા કહે છે કે, તે એવી કોઈ બ્રાન્ડને સમર્થન આપવા માંગતો નથી જે દર્શકોને નુકસાન પહોંચાડે.સૂત્રોના જણાવ્યા અનુસાર એક મોટી પાન મસાલા કંપની પોતાની બ્રાન્ડની પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહી હતી. હવે માધવનના ઇનકાર બાદ કંપની આ બ્રાન્ડ માટે નવો ચહેરો શોધી રહી છે.