Connect Gujarat
મનોરંજન 

અનિલ કપૂરની ફિલ્મ “તાલ” ફેમ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન, કેન્સરથી પીડિત હતી ભૈરવી...

ભૈરવીએ ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર તાલમાં જાનકીનું પાત્ર ભજવ્યું હતું અને તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી

અનિલ કપૂરની ફિલ્મ “તાલ” ફેમ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન, કેન્સરથી પીડિત હતી ભૈરવી...
X

મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી કેન્સર થી પીડિત હતી. ભૈરવી વૈદ્યએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. ભૈરવી વૈદ્ય ગુજરાતી અને હિન્દી બંને સિનેમામાં તેના કામ માટે જાણીતી હતી. એમને પોતાની કારકિર્દી દરમિયાન વિવિધ ફિલ્મ અને ટેલિવિઝન પ્રોજેક્ટ્સ કર્યા હતા. મનોરંજન ઉદ્યોગમાં તેમનું યોગદાન નોંધપાત્ર હતું. ભૈરવીએ તાલ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

ભૈરવીએ ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર તાલમાં જાનકીનું પાત્ર ભજવ્યું હતું અને તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ભૈરવી 45 વર્ષથી એક્ટિંગની દુનિયામાં કામ કરી રહી હતી. ભૈરવીએ સલમાન ખાનની ફિલ્મ ચોરી-ચોરી ચુપકે-ચુપકેમાં પણ કામ કર્યું હતું. તે સાઇડ એક્ટર હોવા છતાં, તેણીએ હંમેશા તેના અભિનયથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું. આ સિવાય તેણે જે પણ ફિલ્મમાં કામ કર્યું, તેણે હંમેશા દર્શકો અને વિવેચકોની પ્રશંસા મેળવી હતી.

Next Story