/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/Sushant-Singh-Rajput-impresses-the-team-of-Kedarnath-with-his-dancing-skills.jpg)
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવું લાગતું હતું, પરંતુ બાદમાં મીડિયા અને વિપક્ષી પક્ષોના દબાણને કારણે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. હવે સીબીઆઈના અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા જણાવવામાં આવ્યું છે.
આ કેસમાં, સીબીઆઈએ 6 ઓગસ્ટ 2020ના રોજ એફઆઈઆર નોંધી હતી, હવે 4 વર્ષ 6 મહિના અને 15 દિવસ પછી, સીબીઆઈએ અંતિમ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં તપાસ એજન્સીએ કહ્યું છે કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા મળ્યા નથી.