દિલ્હી હાઈકોર્ટે કૉપીરાઈટ ઉલ્લંઘન મામલે સંગીતકાર એઆર રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

સંગીતકાર એઆર રહેમાન અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝ પર ગીતની કૉપી કરવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કૉપીરાઈટ ઉલ્લંઘન મામલે તેમના પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

New Update
a  r

સંગીતકાર એઆર રહેમાન અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝ પર ગીતની કૉપી કરવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કૉપીરાઈટ ઉલ્લંઘન મામલે તેમના પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રખ્યાત સંગીતકાર અને ગાયક એઆર રહેમાનને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્કાર વિજેતા ગાયક અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝ પર ગીતની કૉપી કરવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે 2023 ની ફિલ્મ પોન્નિયનસેલ્વન 2 ના ગીત 'વીરા રાજા વીરા'ના સંગીતના કોપીરાઈટ ઉલ્લંઘનના કેસમાં એઆર રહેમાન અને પ્રોડક્શન કંપની મદ્રાસ ટોકીઝ પર 2 કરોડ રૂપિયાનો વચગાળાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે માન્યું છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત તમિલ ફિલ્મ 'પોન્નિયનસેલ્વન 2' નું ગીત 'વીરા રાજા વીરા' પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરના પિતા અને કાકા દ્વારા રચિત 'શિવા સ્તુતિ' ની નકલ છે. 

દિલ્હી હાઈકોર્ટમાં ધ્રુપદ સંગીતકાર ઉસ્તાદ વસીફુદ્દીન ડાગરે અરજી દાખલ કરીને અરજીમાં જણાવ્યું કે એઆર રહેમાને ફિલ્મ પોન્નિયનસેલ્વન 2 માં તેમને ક્રેડિટ આપ્યા વિના તેમના સંગીતનો ઉપયોગ કરીને કૉપીરાઈટનું ઉલ્લંઘન કર્યું છે. અરજીમાં વીરા રાજા વીરા ગીતના કૉપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત સંગીત પર તેમનો કૉપીરાઈટ છે. આ પ્રકારના ગાયનને ડાગર વાણી નામ આપવામાં આવ્યું છે અને તે ધ્રુપદ ગાયનનો આધાર છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અરજદારના પિતાના જૂના ગીતોમાંનું એક શિવ સ્તુતિ છે જે 1970માં ગવાયું હતું.

Read the Next Article

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે થયું અવસાન

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

New Update
kta

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટને ટાંકીને જણાવ્યું છે કે, અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને  તબીબે તેમને હવે મૃત જાહેર કરી છે. અહેવાલો અનુસાર, તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શેફાલીના અચાનક દુનિયા છોડી દેવાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કૂપર હોસ્પિટલથી શેફાલી જરીવાલાના પતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કારમાં બેઠેલો અને તૂટેલો દેખાય છે. કારની અંદર બેઠેલો પરાગ પોતાના ઉદાસ ચહેરાને હાથથી ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, 'રેસ્ટ ઇન પીસ, તમે અમને ખૂબ વહેલા છોડીને જતા રહ્યાં' ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, 'હું ખૂબ જ આઘાત અને દુઃખી છું, આપણો પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને ચાલ્યો ગયો.'