/connect-gujarat/media/media_files/2026/03/07/hq720-2026-03-07-22-21-17.jpg)
આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ‘ધુરંધર’ સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મ તેના જબરદસ્ત એક્શન, ઇમોશનલ કહાની અને સ્ટાર કાસ્ટના શાનદાર પર્ફોર્મન્સને કારણે દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી. પ્રથમ ભાગને મળેલા સકારાત્મક પ્રતિસાદ બાદ, હવે બીજા ભાગને લઈને ઉત્તેજના ચરમસીમાએ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સિક્વલની કહાની પણ નવા ડેવલપમેન્ટ, એક્શન સિક્વન્સ અને ડ્રામેટિક પળોથી ભરપૂર હશે. ફેન્સની આતુરતાનો અંત લાવતા મેકર્સ દ્વારા આજે ‘ધુરંધર 2’ નું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
7 માર્ચ, 2026 ના રોજ સવારે બરાબર 11:01 વાગ્યે રિલીઝ થયેલા ટ્રેલરે ઝલક આપી દીધી છે કે આ ભાગ પહેલા કરતા વધુ મોટો, ડાર્ક અને ઇન્ટેન્સ છે. પાવરફુલ વિઝ્યુઅલ્સ અને હાઈ-સ્ટેક્સ ડ્રામા સાથે આ સિક્વલ ધુરંધર યુનિવર્સને મોટા સ્તર પર આગળ વધારવા તૈયાર છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે રહેમાન ડકૈતના મોત બાદ લ્યારી સળગી રહ્યું છે અને હમઝા લ્યારીનો નવો બાદશાહ બને છે. રણવીર સિંહ આમાં પહેલા કરતા પણ વધુ ખતરનાક અવતારમાં જોવા મળ્યો છે.
ટ્રેલરમાં રણવીર સિંહના યુવાન જસકીરત સિંહ રંગીના પાત્રની પણ ઝલક મળે છે, જે સૂચવે છે કે આ સિક્વલમાં બેકસ્ટોરી જોવા મળશે. મેજર ઇકબાલ તરીકે અર્જુન રામપાલ અને અજય સાન્યાલ તરીકે આર. માધવન ફરી એક્શનમાં જોવા મળે છે. સંજય દત્ત SP ચૌધરી અસલમના રોલમાં દમદાર ડાયલોગ "જહા દર્દ હૈ, વહા મર્દ હૈ" સાથે એક્શન મોડમાં દેખાય છે. "હૌસલા, ઈંધણ, બદલા" ટેગલાઇન એક જબરદસ્ત બદલાની વાર્તા તરફ ઈશારો કરે છે.
મેકર્સ દ્વારા અગાઉ ટ્વિટમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ ટ્રેલર 4 મિનિટ લાંબું છે. નોંધનીય છે કે નવેમ્બર 2025 માં રિલીઝ થયેલ ઓરિજિનલ ‘ધુરંધર’ નું ટ્રેલર 4 મિનિટ અને 8 સેકન્ડનું હતું, જેને YouTube પર 93 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા હતા.
રિલીઝ ડેટ: આ ફિલ્મ 19 માર્ચ ના રોજ સિનેમાઘરોમાં આવશે.
ભાષાઓ: ‘ધુરંધર 2’ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.
કાસ્ટ: રણવીર સિંહ, અર્જુન રામપાલ, આર. માધવન, રાકેશ બેદી અને સારા અર્જુન ફરી એકવાર જોવા મળશે.