કન્નડ અને તેલુગુ ટીવી અભિનેત્રી પવિત્રા જયરામનું માર્ગ અકસ્માતમાં નિધન

New Update
કન્નડ અને તેલુગુ ટીવી અભિનેત્રી પવિત્રા જયરામનું માર્ગ અકસ્માતમાં નિધન

લોકપ્રિય કન્નડ અને તેલુગુ ટીવી અભિનેત્રી પવિત્રા જયરામનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પવિત્રા બેંગલુરુથી હૈદરાબાદ જઈ રહી હતી ત્યારે તેની કાર બેકાબૂ થઈ ગઈ અને પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી એક બસે પણ તેની કારને ટક્કર મારી, જેના કારણે પવિત્રાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં તેમના પિતરાઈ ભાઈ અને ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના મહબૂબનગર જિલ્લાની નજીક રવિવારે રાત્રે 1 વાગ્યે સર્જાઈ હતી.આ અકસ્માતના કારણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. એક્ટર સમીપ આચાર્યએ પવિત્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પવિત્રાને શ્રદ્ધાંજલિ આપતા તેણે લખ્યું, 'આજે સવારે ઉઠતાંની સાથે જ આ દુઃખદ સમાચાર સાંભળ્યા. આ ખૂબ જ આઘાતજનક છે. ઓનસ્ક્રીન પર મારી પ્રથમ માતા. તમે હંમેશા મારા માટે ખાસ રહેશો.

Latest Stories