નિર્માતા કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારનું 21 વર્ષની વયે કેન્સરના કારણે નિધન,મુંબઈમાં કરાયા અંતિમ સંસ્કાર

મનોરંજન | સમાચાર, અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારના નિધનથી સમગ્ર બોલિવૂડ શોકમાં છે. તિશાનું 18 જુલાઈના રોજ અવસાન થયું હતું. તિશા કુમારના મૃત્યુના ચાર દિવસ

New Update
તિશા કુમાર

અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારના નિધનથી સમગ્ર બોલિવૂડ શોકમાં છે. તિશાનું 18 જુલાઈના રોજ અવસાન થયું હતું. તિશા કુમારના મૃત્યુના ચાર દિવસ પછી એટલે કે 22 જુલાઈએ મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તિશાને અંતિમ વિદાય આપવા માટે આખું બોલિવૂડ એકત્ર થયું હતું. અંતિમ વિદાય વખતે તૃષાના માતા-પિતાની હાલત જોઈને બધા રડી પડ્યા હતા.

દીકરીના અંતિમ સંસ્કાર દરમિયાન માતા તાન્યા કુમારની સ્થિતિ જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. તિશાના પિતા અભિનેતા કૃષ્ણ કુમારની હાલત ખરાબ છે અને તેઓ રડી રહ્યા છે. સામે આવેલી તસવીરમાં ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર તેના કાકા કૃષ્ણ કુમારની સંભાળ લેતા જોવા મળ્યા હતા. ભારે વરસાદ વચ્ચે તિશાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તિશા હવે પંચ તત્વમાં વિલીન થઈ ગઈ છે.તિશાના પિતા કૃષ્ણ કુમારે ફિલ્મ 'બેવફા સનમ'માં કામ કર્યું હતું. અભિનયમાં હાથ અજમાવ્યા પછી, તેણે ફિલ્મ-નિર્માણમાં પોતાનું નસીબ અજમાવ્યું. તે ટી-સિરીઝના સહ-માલિક છે. નિર્માતાએ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. હવે તેમની પુત્રીના મૃત્યુએ તેમને ભાંગી નાખ્યા છે. કેમ કે, તેમણે તિશાની લાંબા સમયથી ભારત અને જર્મનીમાં કેન્સરની સારવાર કરાવી હતી.

Latest Stories