ટીવી જગતમાં સામે આવ્યા દુ:ખદ સમાચાર, ટીવી શો ‘સાથ નિભાના સાથીના’ ની એકટ્રેસનુ નિધન........
ફેમસ ટેલિવિઝન શો 'સાથ નિભાના સાથિયા' ફેમ અપર્ણા કાણેકરનું નિધન થયું છે. બીમારી બાદ 83 વર્ષે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
ફેમસ ટેલિવિઝન શો 'સાથ નિભાના સાથિયા' ફેમ અપર્ણા કાણેકરનું નિધન થયું છે. બીમારી બાદ 83 વર્ષે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. સિરિયલમાં જાનકી બાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલી અભિનેત્રીના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ 'સાથ નિભાના સાથિયા'ની કાસ્ટ તેમના શોના પ્રિય સભ્યને ગુમાવ્યા બાદ શોકમાં છે. દેવોલિના ભટ્ટાચારજી અને મોહમ્મદ નાઝીમની સિરિયલમાં 'જાનકી બા મોદી'નું પાત્ર ભજવનાર અપર્ણા કાણેકરનું નિધન થયું છે. શોમાં પરિધિનું પાત્ર ભજવનાર અભિનેત્રી લવી સાસને તેના નિધન અંગે ચાહકોને માહિતી આપી હતી. લવીએ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર વિશે જાણતા હૃદય ભારે થઇ ગયું. તેણે અપર્ણાને 'સૌથી સુંદર અને મજબૂત વ્યક્તિ' ગણાવી હતી. નિધન પર શોક વ્યક્ત કરતા, અભિનેત્રીએ તેની સાથેની એક તસવીર શેર કરી અને કહ્યું કે તે પીઢ કલાકાર સાથે અદ્ભુત સમય પસાર કરવા માટે જાતને ભાગ્યશાળી માનું છું.