શાહરુખ ખાન ઘણા વર્ષોથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. આટલા વર્ષોમાં તેણે એટલી બધી શાનદાર ફિલ્મો કરી છે કે, દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો તેના દિવાના છે. શાહરુખ ખાન ઘણા દાયકાઓથી કામ કરી રહ્યો છે અને તે તેના જીવનના અંતિમ દિવસ સુધી કામ કરવા માંગે છે. શાહરુખ ખાને પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. શાહરુખને ગંભીર ભૂમિકાઓ કરવી પસંદ નથી, પરંતુ તે એવા રોલ કરે છે જેમાં જીવનની ઉજવણી થાય.
તાજેતરમાં જ શાહરુખે એક ઈન્ટરવ્યૂમાં પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી હતી.શાહરુખ ખાને તાજેતરમાં લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલની યુટ્યુબ ચેનલ પર વાત કરી હતી. જ્યાં તેણે કહ્યું કે તે જીવનના અંતિમ દિવસ સુધી કામ કરવા માંગે છે. એટલું જ નહીં, તે ફિલ્મના સેટ પર અંતિમ શ્વાસ લેવા માંગે છે.શાહરુખ ખાનને લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. જ્યાં તેને પૂછવામાં આવ્યું કે શું તે હંમેશા એક્ટિંગ કરવાનું પસંદ કરશે. તેણે માથું હલાવીને જવાબ આપ્યો, 'શું હું હંમેશા અભિનય કરીશ? , હા, હું મરું ત્યાં સુધી મારા જીવનનું સપનું છે કે કોઈ કહે કે એક્શન અને પછી હું મરી જાઉં. તેઓ કહે કટ, અને પછી હું ઊઠું જ નહી. 'હવે તે સમાપ્ત થઈ ગયું, પ્લીઝ?' મેં કહ્યું, 'ના, જ્યાં સુધી તમે બધા એમ ન કહો કે તે ઠીક છે, તમે બધા એમ ન કહો કે તે મારા માટે ઠીક છે. હા, હું ત્યાં સુધી એક્ટિંગ કરવાનું પસંદ કરીશ.'