વોઇઝ ઓફ મુકેશ તરીકે જાણીતા ગાયક કમલેશ અવસથીનું નિધન
BY Connect Gujarat Desk29 March 2024 4:35 AM GMT
X
Connect Gujarat Desk29 March 2024 4:35 AM GMT
ગુજરાત સહિત આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વૉઇસ ઑફ મુકેશ તરીકે જાણીતા સિંગર કમલેશ અવસ્થીનું 28 માર્ચે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ એક મહિનાથી કોમામાં હતા. ગઇકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.અવસ્થીના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે.
'તેરા સાથ હૈ તો..', ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ જેવા ઘણા સુપરહિટ ગીતો કમલેશ અવસ્થીએ ગાયા હતા. જાણીતું છે કે કમલેશ અવસ્થીનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. ભાવનગર યુનિવર્સિટીમાંથી M.Sc. અને પીએચડીનો અભ્યાસ કર્યો. તેમણે ભાવનગરના સપ્તકલાથી તેમની ગાયકી કારકિર્દીની શરૂઆત કરી હતી. કમલેશ અવસ્થીએ તેનું પહેલું મ્યુઝિક આલ્બમ 'ટ્રિબ્યુટ ટુ મુકેશ' રિલીઝ કર્યું હતું.
Next Story