સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી,હાર્ટની સર્જરી કરવામાં આવી

સુપરસ્ટાર રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત

New Update
newsilend 1

સુપરસ્ટાર રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા. હોસ્પિટલમાં સારવાર બાદ, અભિનેતાને 3 ઓક્ટોબરની રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ હવે ફેન્સના જીવમાં જીવ આવ્યો છે.

રજનીકાંતને 3 ઓક્ટોબરે લગભગ 11 વાગ્યે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિનેતાને બ્લડ વૈશલમાં સોજો હતો એટલે સારવાર માટે હાર્ટની સર્જરી કરવામાં આવી હતી. જ્યાં ટ્રાન્સકેથેટર પદ્ધતિનો ઉપયોગ કરીને તેની મહાધમનીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબરના રોજ સફળ સર્જરી પછી, અભિનેતા બે દિવસ સુધી ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.ડોકટરોએ રજનીકાંતને થોડા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી છે, ડોકટરો તરફથી લીલી ઝંડી મળ્યા બાદ તે નિર્દેશક લોકેશ કનાગરાજની ફિલ્મ 'કુલી'માં કામ શરૂ કરશે. હોસ્પિટલમાં દાખલ થવાને કારણે રજનીકાંતના ચાહકોની ચિંતા વધી ગઈ હતી, પરંતુ તેમની પત્ની લતા રજનીકાંતે સોમવારે અભિનેતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતાં કહ્યું હતું કે, "બધું બરાબર છે."

Read the Next Article

સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન મુકાઇ મુશ્કેલીમાં, જાણો સમગ્ર મામલો

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનની વાર્તા ભારત-ચીનના ૨૦૨૦ના વિવાદ પર આધારિત છે. 

New Update
galwan

સલમાન ખાનને સત્ય ઘટના પર આધારિત બેટલ ઓફ ગલવાનથી બહુ આશા હતી. પરંતુ હાલ આ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કહેવાય છે કે, ફિલ્મના વિષયને ભારતીય સેના તરફથી સમર્થન મળતું નથી.

જો સેના આ ફિલ્મની વાર્તા પર સત્તાવાર મોહર નહીં લગાડે તો સલમાનની આ ફિલ્મ બંધ થઇ જાય તેવી પુરી શક્યતા છે. 

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનની વાર્તા ભારત-ચીનના ૨૦૨૦ના વિવાદ પર આધારિત છે. 

બન્ને દેશ વચ્ચે એક હિંસક સંઘર્ષ થયો હતો.ભારતીય સેનાને હવે લાગે છે કે, આ વિષય બહુ જ સેન્સિટિવ છે, જેથી તેમણે ફિલ્મને હજી સુધી સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી. સલમાન ખાન આ બાબતે આર્મી સાથે વાતચીત કરી રહ્યો છે.

 તેમ છતાં સેના ફિલ્મ બનાવવા માટે સત્તાવાર રીતે સમર્થન નહીં આપે તો અભિનેતા મુસીબતમાં આવી પડશે. 

જો ભારતીય સેના આ ફિલ્મને બનાવવા પર સમંત નહીં થાય તો, ફિલ્મસર્જકે આ પ્રોજેક્ટને બંધ કરવો પડશે અથવા તો સ્ટોરીમાં ધરખમ બદલાવ કરીને કરવી પડશે. 

Salman Khan Film | Bollywood Movie