'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, આ ફિલ્મ મહમૂદ ગઝનવીએ કરેલા હુમલા પર આધારિત, 12 ભાષામાં રિલીઝ થશે

સમગ્ર ભારતની ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

New Update
'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, આ ફિલ્મ મહમૂદ ગઝનવીએ કરેલા હુમલા પર આધારિત, 12 ભાષામાં રિલીઝ થશે

નિર્માતાઓએ શનિવારે એનિમેટેડ ટીઝર રિલીઝ કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. ટીઝરમાં નિર્માતાઓએ ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગની કથા દર્શાવી છે. એવું કહેવામાં આવે છે કે સતયુગમાં ચંદ્રદેવે તેને સોનામાંથી બનાવ્યું હતું. 

આ પછી રાવણે ત્રેતાયુગમાં તાંબાનું બનાવેલું અને પછી દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણએ તેને લાકડાનું બનાવ્યું. ફિલ્મની વાર્તા ઈ.સ. 1025માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર કરાયેલા હુમલાની આસપાસ વણાયેલી છે. ટીઝરમાં મેકર્સે બતાવ્યું છે કે, ઇતિહાસમાં આ એકમાત્ર યુદ્ધ હતું જે સામાન્ય લોકોએ સાથે મળીને લડ્યું હતું.

આ યુદ્ધમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું કહેવાય છે કે, ગઝનવીએ સોમનાથ મંદિરમાંથી 20 લાખ દિનારની સંપત્તિ લૂંટી હતી. આ સાથે તેણે મંદિરની મૂર્તિઓ અને જ્યોતિર્લિંગના ટુકડા કરી નાખ્યા. ફિલ્મના ટીઝરમાં સોમનાથ મંદિર પર હુમલા બાદ થયેલા પુનઃનિર્માણનો પણ ઉલ્લેખ છે.

છેલ્લી વખત તેનું નવીનીકરણ ભારતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું નિર્માણ '2 ઇડિયટ ફિલ્મ્સ' અને મનીષ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે, આ ફિલ્મ અનૂપ થાપા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તે 12 ભાષાઓમાં રિલીઝ થશે.

#teaser release #New Teaser Released #The bottle story of somnath
Latest Stories
Read the Next Article

કાશ્મીર ફાઇલ્સ, ધ કેરાલા સ્ટોરી બાદ હવે ઉદયપુર ફાઇ...

કાશ્મીર ફાઇલ્સ, ધ કેરાલા સ્ટોરી બાદ હવે ઉદયપુર ફાઇલ્સ મુદ્દે જાનથી મારવાની ધમકી, જાણો શું છે મામલો

મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દ અને ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલે મુંબઈ, ગુજરાત અને દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ સામે અરજી દાખલ કરી છે. બીજી બાજુ ફિલ્મના ડિરેક્ટરને જીવલેણ ધમકીઓ મળી રહી છે

New Update
udaipur files

રાજસ્થાનના ઉદયપુરના કન્હૈયાલાલ સાહુની હત્યા પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'નો વિરોધ શરુ થઈ ગયો છે.

મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દ અને ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલે મુંબઈ, ગુજરાત અને દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ સામે અરજી દાખલ કરી છે. બીજી બાજુ ફિલ્મના ડિરેક્ટરને જીવલેણ ધમકીઓ મળી રહી છે અને સોશિયલ મીડિયા પર 'સર તનસે જુદા' જેવા મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે.

ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ કહ્યું, 'એક તરફ આ સંગઠનો કોર્ટ જઈ રહ્યા છે અને બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો અમને જીવલેણ ધમકીઓ આપી રહ્યા છે. ફિલ્મમાં કન્હૈયાલાલ સાહુની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મ જેહાદી, કટ્ટરવાદી માનસિકતા અને આતંકવાદ સામે જરૂર છે પણ કોઈ ખાસ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડે તેવી નથી. ઉદયપુર ફાઇલ્સની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી પણ ફાઇલ કરી દીધી છે.'

ફિલ્મના ડિરેક્ટર ભારત એસ. શ્રીનેતે જણાવ્યું, 'સેન્સર બોર્ડે ફિલ્મના 130 સીન કટ કરાવ્યા છે અને બે મહિના પછી ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપી પાસ કરી છે. કન્હૈયાલાલ સાહુની હત્યા કેમ અને કેવી રીતે થઈ? આવા લોકોની કઈ માનસિકતા હોય છે? આ બધું દેશવાસીઓને જાણવું જોઈએ. જે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમને આ ફિલ્મ જરૂર જોવી જોઈએ, તેમની બધી ગેરસમજ દૂર થઈ જશે.'

હાલ પટણામાં બાગેશ્વર બાબાએ આ ફિલ્મનું સમર્થન કર્યું છે. કન્હૈયાલાલ સાહુનો પરિવાર પણ ફિલ્મના સમર્થનમાં છે. સાહુના પુત્ર યશ સાહુએ તેના નાના ભાઈ સાથે પટણા પહોંચીને ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાત લીધી હતી. યશનું કહેવું છે કે ‘દેશના ઘણાં લોકો મારા પિતાની હત્યાનું સત્ય જાણતા નથી. સત્ય સામે આવવું ખૂબ જ જરૂરી છે. અમને હજુ સુધી સંપૂર્ણ ન્યાય મળ્યો નથી.’

આ કેસ ત્રણ વર્ષ જૂનો છે. કન્હૈયાલાલ સાહુ દરજી હતા. બે ગ્રાહકો કપડાં સીવડાવવાના બહાને તેમની દુકાને આવ્યા હતા. આ દરમિયાન અચાનક બંને ગ્રાહકોએ તીક્ષ્ણ હથિયાર વડે કન્હૈયાલાલ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. હત્યારાઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ હત્યાકાંડથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.

નોંધનીય છે કે, અમિત જાની અને એસ. શ્રીનેતે આ ઘટનાક્રમ પર આધારિત 'ઉદયપુર ફાઇલ્સ' નામથી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ 11 જુલાઈએ રિલીઝ થવાની છે, પરંતુ એ પહેલાં જ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. 

CG Entertainment | The Kerala Story | The Kashmir Files | death threats

#The Kerala Story #The Kashmir Files #death threats #CG Entertainment
Latest Stories