અજય દેવગનની ફિલ્મ "આઝાદ"નું ટીઝર થયું રીલીઝ

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
આજાદ 1

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ અને તેમના ઘોડાની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અજયની સાથે રવિના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણિયો અમન દેવગન પણ ડેબ્યૂ કરશે.

આગામી વર્ષે આવનાર અજય દેવગનની  ફિલ્મ 'આદાઝ'નું ટીઝર રિલીઝ થયું છે. તે ટીઝર 1 મિનિટ 47 સેકન્ડનું છે. આ ટીઝરમાં સ્ટોરીનું બ્રીફ વોઈસ ઓવર દ્વારા આપવામાં આવ્યું છે. નેરેશન પરથી એવું લાગે છે કે મહાન ક્રાંતિકારી યોદ્ધા મહારાણા પ્રતાપના ઘોડાની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં મહારાણાના બહાદુર ઘોડા અને તેમની બહાદુરીની સ્ટોરી બતાવવામાં આવશે. અત્યારે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ આપવામાં નથી આવી. પરંતુ આ ફિલ્મ જાન્યુઆરી 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી સંભાવના છે.

Read the Next Article

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

New Update
dinesh

ભોજપુરી અભિનેતા અને ગાયક દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સીધો પડકાર ફેંક્યો છે.

તેણે કહ્યું કે ‘મને મરાઠી ભાષા બોલતા આવડતી નથી, હું ભોજપુરી ભાષા બોલું છું. જો હિંમત હોય તો ભોજપુરી બોલવાના કારણે મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

આ મારપીટનો વીડિયો પણ બનાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મનસેના વડા રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા પણ આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘અહીં તો મરાઠી બોલવી જ પડશે.’

આ અંગે નિરહુઆએ કહ્યું છે કે, ‘હું ચેલેન્જ આપું છું કે, હું મરાઠી નથી બોલતો, હું ભોજપુરી બોલું છું, તમારામાં હિમ્મત હોય તો મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

નિરહુઆએ કહ્યું છે કે, ‘આપણા દેશની સુંદરતા ભાષાઓની વિવિધતામાં છે અને જુદી-જુદી ભાષા બોલનારા લોકો એકબીજા સાથે મિત્રતા નિભાવે છે. તમે આ સુંદરતાને નષ્ટ  કરવા ઈચ્છો છો.’

આ અંગે જવાબ આપતા મનસેના નેતા યશસ્વી કિલેદારે કહ્યું કે, ‘'જો તમારામાં હિંમત હોય તો તે મહારાષ્ટ્રમાં આવો, મનસેના કાર્યકરો તમારા ગાલ પર તમાચો ફટકારશે, ત્યારે તમને ભાન પડશે.’

challenge | CG Entertainment | Maharastra