અજય દેવગનની ફિલ્મ "આઝાદ"નું ટીઝર થયું રીલીઝ

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
આજાદ 1

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ અને તેમના ઘોડાની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અજયની સાથે રવિના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણિયો અમન દેવગન પણ ડેબ્યૂ કરશે.

આગામી વર્ષે આવનાર અજય દેવગનની  ફિલ્મ 'આદાઝ'નું ટીઝર રિલીઝ થયું છે. તે ટીઝર 1 મિનિટ 47 સેકન્ડનું છે. આ ટીઝરમાં સ્ટોરીનું બ્રીફ વોઈસ ઓવર દ્વારા આપવામાં આવ્યું છે. નેરેશન પરથી એવું લાગે છે કે મહાન ક્રાંતિકારી યોદ્ધા મહારાણા પ્રતાપના ઘોડાની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં મહારાણાના બહાદુર ઘોડા અને તેમની બહાદુરીની સ્ટોરી બતાવવામાં આવશે. અત્યારે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ આપવામાં નથી આવી. પરંતુ આ ફિલ્મ જાન્યુઆરી 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી સંભાવના છે.

Read the Next Article

અક્ષયની કેસરી ટુ ફિલ્મ સામે પશ્ચિમ બંગાળમાં તૃણમૂળની એફઆઈઆર

પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફિલ્મમાં પશ્ચિમ બંગાળના સ્વાતંત્ર્ય વીરોને લગતી કેટલીક હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી

New Update
kesari2 film

અક્ષય કુમારની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'કેસરી ટુ' સામે પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફિલ્મમાં પશ્ચિમ બંગાળના સ્વાતંત્ર્ય વીરોને લગતી કેટલીક હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે. 

 ફિલ્મના સાત નિર્માતાઓ સામે બિધાનનગર સાઉથ પોલીીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આઝાદી આંદોલનના બંગાળના સેનાનીઓ ખુદીરામ બોઝ તથા બારીન્દ્રનાથ ઘોષનો ઉલ્લેખ ખોટી રીતે કરાયો હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે. ખુદીરામ બોઝને ખુદીરામ સિંઘ તથા બારીન્દ્રનાથ ઘોષને બિરેન્દ્ર કુમાર તરીકે દર્શાવાયા છે.

આ રીતે દેશની આઝાદીની લડતમાં બંગાળનાં પ્રદાનને લગતી હકીકતો સાથે ચેડાં કરાયાનો આરોપ મૂકાયો છે.  ફિલ્મમાં આ રીતે કેટલાય ક્રાંતિકારીઓનાં નામ બદલી નાખવામાં આવ્યાં છે.  કરણ જોહરની આ ફિલ્મ 'ધી કેસ ધેટ શૂક ધી એમ્પાયર' પુસ્તકના આધારે બનાવાઈ હતી. ફિલ્મ ગઈ તા. ૧૮મી એપ્રિલે રીલિઝ  કરાઈ હતી. અક્ષય કુમાર ઉપરાંત આર. માધવન તથા અનન્યા પાંડે  સહિતના કલાકારોએ તેમાં ભૂમિકા ભજવી હતી.