અજય દેવગનની ફિલ્મ "આઝાદ"નું ટીઝર થયું રીલીઝ

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
આજાદ 1

અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ અને તેમના ઘોડાની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અજયની સાથે રવિના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણિયો અમન દેવગન પણ ડેબ્યૂ કરશે.

આગામી વર્ષે આવનાર અજય દેવગનની  ફિલ્મ 'આદાઝ'નું ટીઝર રિલીઝ થયું છે. તે ટીઝર 1 મિનિટ 47 સેકન્ડનું છે. આ ટીઝરમાં સ્ટોરીનું બ્રીફ વોઈસ ઓવર દ્વારા આપવામાં આવ્યું છે. નેરેશન પરથી એવું લાગે છે કે મહાન ક્રાંતિકારી યોદ્ધા મહારાણા પ્રતાપના ઘોડાની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં મહારાણાના બહાદુર ઘોડા અને તેમની બહાદુરીની સ્ટોરી બતાવવામાં આવશે. અત્યારે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ આપવામાં નથી આવી. પરંતુ આ ફિલ્મ જાન્યુઆરી 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી સંભાવના છે.

Read the Next Article

મોહનલાલને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો, PM મોદીએ તેમને અભિનંદન પાઠવ્યું

ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારા મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ વિશ્વનાથન નાયરને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

New Update
mohn

ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારા મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ વિશ્વનાથન નાયરને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દેશમાં સિનેમા ક્ષેત્રે આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન છે. 23 સપ્ટેમ્બરના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં 65 વર્ષીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

મોહનલાલ શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાનું પ્રતિક છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા મોહનલાલને અભિનંદન આપતા કહ્યું કે તેઓ શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાના પ્રતિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "કેટલાક દાયકાઓ સુધીના શાનદાર કાર્ય સાથે, મોહનલાલ મલયાલમ સિનેમા અને રંગભૂમિમાં એક અગ્રણી વ્યક્તિ છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ ધરાવે છે.

તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો છે. તમામ માધ્યમોમાં તેમની સિનેમેટિક અને નાટકીય કુશળતાની તેજસ્વીતા ખરેખર પ્રેરણાદાયક છે." "દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ તેમને અભિનંદન. તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે."