/connect-gujarat/media/post_banners/0722b987e97b0f3e225ef269f89aa25888bcb6cf98b9e0470dcf28720c5e064d.webp)
પોતાના ફિલ્મ કરિયરમાં મોટી મોટી ફિલ્મ બનાવનાર દિગ્ગજ ડાયરેક્ટર ઇસ્માઇલ શ્રોફનું નિધન આજરોજ મુંબઇ ખાતે થયું છે. ઇસ્માઇલ શ્રોફે બુલંદી, થોડી સી બેવફાઇ, સૂર્યા જેવી અનેક ફિલ્મો ડાયરેક્ટ કરી છે. 65 વર્ષની ઉંમરે દિગ્ગજ ડાયરેક્ટરનું નિધન થતાં બોલિવૂડ જગતને મોટું નુક્સાન ગયું છે.
જાણકારી અનુસાર ઇસ્માઇલ શ્રોફ ઘણાં લાંબા સમયથી બિમાર હતાં. ઇસ્માઇલ શ્રોફના નિધનને લઇને ઘણી મોટી હસ્તીઓએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. પદ્મિની કોહલાપુરેએ ઇસ્માઇલ શ્રોફની સાથે થોડી સી બેવફાઇ અને આહિસ્તા જેવી ફિલ્મો પર કામ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરતી પોસ્ટ પણ કરેલ છે. જેમાં તેમણે લખ્યું છે કે થોડા શબ્દોનો વ્યક્તિ...ફિલ્મ નિર્માતા, શબ્દોથી વધુ એક્શનવાળો વ્યક્તિ ! રેસ્ટ ઇન પીસ ઇસ્માઇલજી. તેમના પરિવારને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.