/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/21163840/maxresdefault-62.jpg)
દેશભરમાં કોરોનાના ગંભીર દર્દીઓને વેન્ટીલેટર્સની જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગને વિવિધ કંપનીઓ તરફથી ઓકિસજન કોન્સન્ટ્રેસર અને ઓકિસજન પ્લાન્ટની ભેટ આપવામાં આવી રહી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી ગાંધીનગર ખાતે શરૂ થયેલાં ‘કોરોના સેવાયજ્ઞ’ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહાય કરવામાં આવશે. જેના પ્રથમ ભાગ તરીકે આજે રાજ્યપાલના હસ્તે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ આરોગ્ય વિભાગને સુપરત કરવામાં આવ્યાં હતાં.
આ કોન્સન્ટ્રેટર્સ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને મોકલી આપવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ છે અને અલગ અલગ કેમ્પસમાં પણ કોરોના હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજયપાલે જણાવ્યું હતું કે, કોવિડના આ બીજા વૅવમાં પોતાના તન અને મનથી જે કર્મચારીઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા અન્ય કોઈ પણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમનું મનોબળ વધારવું અત્યંત આવશ્યક છે.