ગીર-સોમનાથ : તાઉતે વાવાઝોડા બાદ તાલાલા માર્કેટ યાર્ડમાં ફરીથી કેસર કેરીની માંગ વધતા ખેડૂતોમાં આનંદ

New Update
ગીર-સોમનાથ : તાઉતે વાવાઝોડા બાદ તાલાલા માર્કેટ યાર્ડમાં ફરીથી કેસર કેરીની માંગ વધતા ખેડૂતોમાં આનંદ

તાઉતે વાવાઝોડામાં સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું હતું અને ખાસ કરીને કેરીને નુક્સાની થતાં તેના ભાવ પણ તળિયે પહોચ્યા હતા ત્યારે ફરીથી તાલાલા માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ રહી છે અને કેસરની માંગ વધતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

તાઉતે વાવાઝોડા બાદ ગીર સોમનાથ અને તેની આસપાસ કેરીના પાકને ભારે નુકસાન થયું હતું તેને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. કેસર કેરી વિશ્વ વિખ્યાત છે પણ વરસાદ અને પવનને કારણે કેસર કેરીના ભાવ તળિયે પોહચી ગયા હતા અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાની ભીતી સેવાઇ હતી. જોકે, છેલ્લા બે દિવસથી તાલાલા માર્કેટ યાર્ડ્માં ભારી માત્રમાં કેસર કેરીના બોક્ષની આવક થઇ રહી છે. આસપાસના ખેડૂતોની કેરીની વધારે બોલી બોલવામાં આવતા જગતનો તાત ખુશ થયો છે.

વાવાઝોડા પહેલા કેસર કેરીના 10 કિલોના ભાવ 800 થી 1000 વચ્ચે બોલાયા હતા પરંતુ વાવાઝોડાની તબાહી બાદ આ કેરીના 10 કિલોના ભાવ 100 થી 200 રૂપિયા થઇ ગયા હતા અને છતાં કોઈ લેવા તૈયાર થતું ન હતું પરંતુ હવે ફરીવાર માર્કેટમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીના 10 કિલોના ભાવ 700 થી 800 રૂપિયા હરાજીમાં બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Read the Next Article

મેક્સિકોના ઇરાપુઆટોમાં પાર્ટી દરમિયાન થયો ગોળીબાર, 11 લોકોના મોત, અનેક ઘાયલ

ગેંગસ્ટર ગેંગના ગઢ ગણાતા મેક્સિકોમાં મંગળવારે રાત્રે થયેલા ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું

New Update
golibargolibar

ગેંગસ્ટર ગેંગના ગઢ ગણાતા મેક્સિકોમાં મંગળવારે રાત્રે થયેલા ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મધ્ય મેક્સિકન શહેર ઇરાપુઆટોમાં મંગળવારે રાત્રે થયેલા ગોળીબારમાં એક કિશોર સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

હિંસાગ્રસ્ત ગુઆનાજુઆટોમાં એટોર્ની જનરલની ઓફિસે જણાવ્યું હતું કે ગોળીબારથી ઘાયલ 20 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે બુધવારે અગાઉ જણાવ્યું હતું કે પીડિતોમાં બાળકોનો સમાવેશ થાય છે, જોકે એટોર્ની જનરલની ઓફિસે પાછળથી પુષ્ટી કરી હતી કે ફક્ત એક જ વ્યક્તિ ઘાયલ થઈ છે, જે 17 વર્ષનો સગીર છે.

શિનબામે કહ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તપાસ ચાલી રહી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ગોળીબાર પાર્ટી દરમિયાન થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લોકો રહેણાંક ઈમારતમાં નાચતા જોવા મળ્યા હતા જ્યારે બ્રેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક વાગી રહ્યું હતું ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો. ઇરાપુઆટોના એક અધિકારી રોડોલ્ફો ગમેઝ સર્વેટ્સે પુષ્ટી કરી હતી કે મૃત્યુઆંક 11 થયો છે, જ્યારે લગભગ 20 અન્ય ઘાયલ થયા છે.