ગીર-સોમનાથ: મરચાનું મબલખ ઉત્પાદન પણ વચેટિયાઓના કારણે ખેડૂતો પરેશાન

New Update
ગીર-સોમનાથ: મરચાનું મબલખ ઉત્પાદન પણ વચેટિયાઓના કારણે ખેડૂતો પરેશાન

ગીરસોમનાથમાં હીરણ નદીના કીનારાના ગામો લીલા મરચાનો ગઢ મનાય છે. હાલ ભારે માત્રામાં મરચાના પાકથી ખેતરો છલકાયાં છે, પરંતુ વચેટીયાઓના કારણે ખેડુતોમાં નીરાશા છે, યોગ્ય ભાવ માટે ખેડુતો સરકારને વીનંતી કરી રહ્યા છે.

ગીરસોમનાથ જીલ્લાના સુત્રપાડા અને વેરાવળ તાલુકાના ગામો જે હીરણ નદીના કીનારા પર આવેલા છે જેમાં નાવદ્રા ઈશ્વરીયા,ઈન્દ્રોઈ, સોનારીયા મીઠાપુર,સહીતના અનેક ગામો મરચાના પાક માટે ગઢ મનાય છે અહી સાનુકુળ જમીન પાણી અને હવામાનના કારણે ભારે માત્રામાં લીલા મરચાઓનું વાવેતર કરાય છે ત્યારે હાલ ખેતરો મરચાથી છલકાયાં છે પરંતુ ખેડુતોમાં આટલો મબલખ પાક હોવા છત્તાં નીરાશા વ્યાપી છે.ખેડુતોની વાત માનીએ તો હાલ મરચા નો મબલખ પાક ખેડુતો પાસે છે ત્યારે ભાવ તળીયે છે.એક મરચાના થેલામાં 12 થી 14 કીલો મરચા હોય જેનો ભાવ 150 થી 200 રૂપીયા મળે છે અને કીલો મરચાના માત્ર 15 થી 17 રૂપીયા મળે છે.જે ખર્ચ કરતા ઓછું વળતર આપે છે.પરંતું ખેડુતો પાસે થી બજારમા પહોચતાં આ જ મરચાના 50 થી 60 રૂપીયા કીલોના થાય છે ત્યારે ખરી મહેનત કરનારને પુરતો ભાવ નથી મળતો અને વચેટીયાઓ માલામાલ બની જાય છે ત્યારે યોગ્ય ભાવ મળે તેવી સરકાર વ્યવસ્થા કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.

Latest Stories