સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા 2 દિવસીય “સાગર સુરક્ષા કવચ”નો આરંભ...

New Update
સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા 2 દિવસીય “સાગર સુરક્ષા કવચ”નો આરંભ...

રાજ્યભરના દરિયા કાંઠાની સુરક્ષા વ્યવસ્થા

2 દિવસીય સાગર સુરક્ષા કવચનું આયોજન

પોલીસ દ્વારા વિવિધ સ્થળે ચેકિંગ હાથ ધરાયું

ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો 1600 કિમીનો રમણીય લાગતો દરીયા કાંઠો સુરક્ષાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓને જોતાં સરહદી કચ્છ જિલ્લામાં 2 દિવસીય સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો, જે માટે ગુજરાતના દરીયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. જેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે, ત્યારે કચ્છમાં આજથી શરૂ થયેલી બે દિવસીય સાગર કવાયતમાં નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસ સહીતની એજન્સીઓ જોડાઈ છે. દરીયાની અંદર, દરીયા કાંઠે તેમજ દરીયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે, હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોકડ્રિલ થઈ રહી છે. રાજ્યમાં અન્ય જિલ્લાઓની તુલનાએ સૌથી વધુ સુરક્ષાની દ્રષ્ટીએ કચ્છનું મહત્વ વધી જાય છે. અહીં પ્રવેશદ્વાર સુરજબારીથી માંડી લખપતના કોટેશ્વર સુધી વિશાળ દરિયાકાંઠો આવેલો છે, જેમાંથી મોટા ભાગનો વિસ્તાર સુરક્ષા એજન્સીઓને આપેલો છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં 2 દિવસીય “સાગર સુરક્ષા કવચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.