ગુજરાતમાં કોરોના વાયરસના 316 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

New Update
ગુજરાતમાં કોરોના વાયરસના 316 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

28મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના 316 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 109 કેસ નોંધાયા છે. 189 જ્યારે દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા 7 દિવસમાં 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

Advertisment W3.CSS

• અમદાવાદ કોર્પોરેશન - 109

• સુરત કોર્પોરેશન - 26

• રાજકોટ કોર્પોરેશન - 25

• મોરબી - 23

• અમરેલી - 19

• વડોદરા કોર્પોરેશન - 17

• મહેસાણા - 12

• સાબરકાંઠા - 12

• વડોદરા - 12

• સુરત - 8

• વલસાડ - 8

• કચ્છ - 7

• ભાવનગર કોર્પોરેશન - 5

• ગાંધીનગર કોર્પોરેશન - 5

• રાજકોટ - 5

• ભરૂચ - 4

• જામનગર કોર્પોરેશન - 4

• અમદાવાદ - 2

• આણંદ - 2

• ખેડા - 2

• નવસારી - 2

• પાટણ - 2

• સુરેન્દ્રનગર - 2

• બનાસકાંઠા - 1

• જામનગર - 1

• મહિસાગર - 1

189 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના 316 કુલ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 189 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1976 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 10 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1966 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે