ગુજરાતની 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ થયા રદ્દ, વાંચો શું છે કારણ

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની આખરી તારીખ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ રદ થયા છે

New Update
ગુજરાતની 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ થયા રદ્દ, વાંચો શું છે કારણ

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની આખરી તારીખ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ રદ થયા છે. આ ફોર્મ ટેકનિકલ ક્ષતિઓના કારણે રદ થયા હોવાનું સામે આવ્યુ છે. 230થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ ઠેરવવામાં આવ્યા છે. 491માંથી 251થી વધુ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને જામનગરમાં સૌથી વધુ ઉમેદવારો માન્ય ઠર્યા છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદ પૂર્વમાં 23-23 તો જામનગરમાં 21 ફોર્મ માન્ય છે. આ ઉપરાંત નવસારીમાં 19, કચ્છમાં 11, બનાસકાંઠામાં 14, પાટણમાં 11 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. હજુ પણ સોમવાર સાંજ સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે. જો કે સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

Latest Stories