રાજ્યમાં આજે કોરોનાના 128 નવા કેસ નોધાયા, 305 દર્દીઓ થયા સાજા
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1250 પર પહોંચી ગયો છે
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1250 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 12 લોકો વેન્ટીલેટર પર છે. 1238 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,10,850 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 51, ડાંગમાં નવ, વડોદરા કોર્પોરેશનમાં સાત, તાપીમાં છ, વડોદરામાં છ, બનાસકાંઠામાં પાંચ, ગાંધીનગરમાં પાંચ, કચ્છમાં ચાર, આણંદમાં ત્રણ, ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં ત્રણ, રાજકોટમાં ત્રણ, સુરતમાં ત્રણ, ભાવનગર કોર્પોરેશનમાં બે, દાહોદમાં બે, મહેસાણામાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, નવસારી, પાટણમાં, સુરત કોર્પોરેશન અને વલસાડમાં એક-એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતા.
બીજી તરફ આજે 305 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.00 ટકાએ પહોંચ્યો છે. આજે 98,958 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 1 લોકોના મોત થયા છે. સુરતમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.