ગાંધીનગર જિલ્લાના માણસાના મહુડી જૈન મંદિરમાં કાળી ચૌદસની થાય છે અનોખી ઉજવણી

ગાંધીનગર જિલ્લાના માણસ તાલુકાનું મહુડી પ્રસિદ્ધ જૈન મંદિરથી ઓળખાય છે,આ તીર્થ ખાતે કાળી ચૌદસનું અનેરું મહત્વ હોય છે.મહુડી તીર્થ તેની સુખડી માટે પ્રખ્યાત

New Update
જૈન મંદિર

ગાંધીનગર જિલ્લાના માણસ તાલુકાનું મહુડી પ્રસિદ્ધ જૈન મંદિરથી ઓળખાય છે,આ તીર્થ ખાતે કાળી ચૌદસનું અનેરું મહત્વ હોય છે.મહુડી તીર્થ તેની સુખડી માટે પ્રખ્યાત છેજ્યાંની સુખડી ત્યાં જ મંદિરમાં ખાવાનો રિવાજ છેઆ સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી.પરંતુ કાળી ચૌદસના દર્શન માટે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે.

જાણવા મળ્યા મુજબ મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે,જ્યાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે.31ઓક્ટોબરના રોજ કાળી ચૌદશનો હવન કરવામાં આવશે.કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાના કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે.કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીર મહુડી મંદિરનું વિશેષ મહત્વ હોય છે. જૈન સમુદાયના લોકો કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં દર્શન અને પૂજા અર્ચન માટે અહીં આવે છે.વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે.

મહુડીના મંદિરે108વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આહુતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે. વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધિ કરાય છે.જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે.આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની108ગાંઠ વાળે છે.પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની1કલાકે1ગાંઠ વાળવામાં આવે છે.સર્વ મનોકામના પૂરી કરતો108ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઈ જાય છે.આ પૂજા વિધિ સમયે એકદમ શાંતિ પ્રવર્તે છે.આ દિવસે મંદિરમાં સુખડી બનાવવાનું એક ખાસ મહત્વ હોય છે.મહુડીની સુખડી પ્રખ્યાત છે,એટલુ જ નહિ,આ મંદિરની સુખડી બીજે ક્યાંય બહાર લઈ જઈ શકાતી નથીતેવી માન્યતા છે. ગુજરાતના પ્રસિદ્ધ મહુડી તીર્થ ખાતે આગામી31ઓક્ટોબરના રોજ પ્રક્ષાલ વિધિ કરાશે તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું છે.મંદિર દ્વારા જણાવાયું કેવહેલી સવારે6કલાકે મહુડી ખાતે પ્રક્ષાલ વિધિ થશે.જ્યારે  સવારે11કલાકે ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ પર વરખ ચઢશે.અને બપોરે1કલાકે મહુડી ખાતે હવન શરૂ થશે.