/connect-gujarat/media/post_banners/350efe82f31f4bb0c6c42c4aba6d9e59497372d288049e6247014a9e68bdabd1.webp)
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. દરિયામાં વાવાઝોડું આવવાનું છે. હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે.જેને લઈ દરિયો તોફાની બનશે. ગુજરાતના તમામ બંદરો પર અત્યારથી જ એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.
અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ મોટાભાગની બોટ બંદર પર પરત ફરી છે. ઓખા બંદર પર પણ ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનવાની સંભાવવાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. પરંતુ 9 અને 10 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 9 અને 10 જૂનના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.