Connect Gujarat
ગુજરાત

હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન થયું સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન થયું સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
X

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. દરિયામાં વાવાઝોડું આવવાનું છે. હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે.જેને લઈ દરિયો તોફાની બનશે. ગુજરાતના તમામ બંદરો પર અત્યારથી જ એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ મોટાભાગની બોટ બંદર પર પરત ફરી છે. ઓખા બંદર પર પણ ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનવાની સંભાવવાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. પરંતુ 9 અને 10 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 9 અને 10 જૂનના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.

Next Story