રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 15 નવેમ્બર બાદ 19 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો ગગડશે.

New Update
gujarat winter

રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 15 નવેમ્બર બાદ 19 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો ગગડશે. દાહોદ, ગાંધીનગર,અમરેલી, વડોદરામાં ઠંડીનો અનુભવ થશે.

આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઠંડીનો ચમકારો વધતા રાજ્યમાં ગરમીથી પણ રાહત મળે તેવી શક્યતા છે. આગામી 15 નવેમ્બરથી 20 નવેમ્બરની વચ્ચે લઘુતમ તાપમાનનો પારો 16થી 20 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

રવિવારે અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.1 ડિગ્રીનો જ્યારે રવિવારે રાત્રે 21 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સિવાય ભાવનગરમાં 34.6 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, સુરત અને અમરેલીમાં 35.2 ડિગ્રી, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી, ડીસામાં 36.9 ડિગ્રી, ભુજમાં 37.1 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતુ. જ્યારે દાહોદમાં 16.6 ડિગ્રી, ગાંધઈનગરમાં 19.4 ડિગ્રી, વડોદરામાં 19.6 ડિગ્રી તો અમરેલીમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો અનુભવ થયો હતો.

Read the Next Article

અમરેલી : કુકાવાવ નાકા નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું

New Update
  • શહેરમાં બિનધિકૃત દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર

  • કુકાવાવ નાકા નજીક કરાયા ગેરકાયદેસર બાંધકામ

  • ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલેશન હાથ ધરાયું

  • 310 મીટર જેટલી જગ્યા વહીવટી તંત્રએ ખુલ્લી કરી

  • પોલીસ, PGVCLને સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું

અમરેલીના કુકાવાવ નાકા નજીક કરાયેલ ગેરકાયદેસર બાંધકામ સામે 45ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી 310 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી.

અમરેલી શહેર તથા જીલ્લામાં કરાયેલા બિનધિકૃત દબાણો પર હાલ દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છેત્યારે અમરેલીના કુકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું હતું.

પાલિકા તંત્રએ પોલીસ વિભાગ, PGVCL સહિતની ટીમને સાથે રાખી ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુકાવાવ નાકા પર કોર્નરની 310 મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તો બીજી તરફવહીવટી તંત્રની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.