અમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ કર્યો, જુઓ કોર્ટે શું નિર્ણય લીધો..!

New Update
અમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ કર્યો, જુઓ કોર્ટે શું નિર્ણય લીધો..!

CBIની ટીમે ગત ગુરુવારે ગુજરાત સરકારના સચિવ અને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કંકીપતિ રાજેશ સહિત 3 વ્યકિતઓ સામે લાંચનો ગુનો દાખલ કર્યો છે, ત્યારે ગુજરાતના IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને આજે અમદાવાદની કોર્ટમાં રજૂ કર્યો હતો.

CBIના વકીલ અને અધિકારીએ મુખ્ય આરોપીની ધરપકડ ન કરી હોવાનું કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું, જ્યારે કોર્ટમાં CBI દ્વારા રજૂ કરાયેલી રિમાન્ડ એપ્લિકેશન મામલે પણ કેટલોક વિરોધાભાસ સામે આવ્યો હતો. કોર્ટે આરોપી રફીક મેમણના વધુ રિમાન્ડ નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે CBI અને CBIના વકીલને સવાલ કર્યા હતા કે, જ્યારે તમે મુખ્ય આરોપી અને સહ આરોપીની ધરપકડ કરી નથી તો કયા આધારે તમે રફીક મેમણના વધુ રિમાન્ડ માંગીને પૂછપરછ કરશો.

આ સાથે જ CBI તરફથી વધુ રિમાન્ડ માટેના રજૂ કરાયેલા મુદ્દા અને ગતરોજના મુદ્દા એક સરખા જ છે. આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આ આખી ફરિયાદ બનાવટી ફરિયાદ હોવાનું દેખાય છે. તેમજ CBI દ્વારા વધુ રિમાન્ડ માટે કરાયેલી અરજી જેમાં ગ્રાઉન્ડ નંબર 3માં મુખ્ય આરોપી તેમજ સહ આરોપીઓ સાથે રફીક મેમણની પૂછપરછ કરવાની બાબત વિરોધાભાસી છે, જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરાય જ નથી તો કેવી રીતે રફીક મેમણને મુખ્ય આરોપી સાથે બેસાડીને પૂછપરછ કરવાની માંગણી CBI દ્વારા થઇ શકે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.